(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29: દાદરા નગર હવેલીના ખાનવેલ આદિવાસી બહુલ વિસ્તારમાં ભાજપા કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના નેતા અધીર રંજનના પુતળાનું ચાર રસ્તા પર દહન કરવા પહેલા બુટના હાર પહેરાવી ભાજપા કાર્યાલયથી સરઘસ કાઢી ચાર રસ્તા પર કાર્યકર્તાઓએ પુતળાદહન કરી કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપા પ્રમુખ સંજય રાઉત, સંતુભાઈ પવાર, લાકડભાઈ મિસાલ, ગોપીભાઈ ગુપ્તા, સોનજીભાઈ કુરકુટીયા સહિત કાર્યકર્તાઓએ દ્રૌપદી મુર્મુના અપમાનના વિરોધમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.