April 20, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણના સમુદ્ર નારાયણ ઘાટ ખાતે માછી સમાજના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું અભિવાદન

દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં થયેલી વિવિધ રજૂઆતોના યોગ્‍ય સમાધાન માટે પણ પ્રશાસકશ્રીએ આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
શનિવારે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર ઘાટ ખાતે મુલાકાત લીધીહતી અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા)ના નેતૃત્‍વમાં માછી સમાજના આગેવાનોએ પણ પ્રશાસકશ્રી સાથે પોતાના વિચારોની આપ-લે કરી હતી.
માછી સમાજના આગેવાનોએ સમુદ્ર નારાયણ મંદિરના સ્‍થળાંતર તથા જેટીની બાબતમાં પોતાની લાગણી રજૂ કરી હતી. જેના સંદર્ભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમની સમસ્‍યાનું યોગ્‍ય સમાધાન કરવા આશ્વાસન આપ્‍યું હતું.
પ્રારંભમાં પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાના નેતૃત્‍વમાં  માછી સમાજના આગેવાનોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું પુષ્‍પગુચ્‍છથી અભિવાદન પણ કર્યુ હતું.

Related posts

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah

હાઈવે ઉપર પાણી ફરી વળતા વાપી-ચીખલી હાઈવે ઉપર હજારો વાહનોના પૈંડા થંભી ગયા

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના પ્રો.ડો.વિમુખ પટેલને કબીર કોહિનુર એવોર્ડ એનાયત

vartmanpravah

સીજીએસટી વિભાગ દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત આયોજીત રખોલી ખાતે 103 લાભાર્થીઓને પ્રધાનમંત્રીની વિવિધ લોન યોજના હેઠળરૂા.32 કરોડના ચેકોનું કરાયેલું વિતરણ

vartmanpravah

દમણ જિલ્લા અને સત્ર ન્‍યાયલયનો ચુકાદો  હત્‍યાની કોશિષના ગુનામાં આરોપી જીજ્ઞેશ પટેલને 5 વર્ષની જેલ અને રૂા.10 હજારનો ફટકારેલો દંડ

vartmanpravah

વાપીમાં માઁ ઉમિયાના દિવ્‍યરથનું સમસ્‍ત પાટીદાર સમાજ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

Leave a Comment