September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણના સમુદ્ર નારાયણ ઘાટ ખાતે માછી સમાજના આગેવાનોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું કરેલું અભિવાદન

દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં થયેલી વિવિધ રજૂઆતોના યોગ્‍ય સમાધાન માટે પણ પ્રશાસકશ્રીએ આપેલું આશ્વાસન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
શનિવારે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર ઘાટ ખાતે મુલાકાત લીધીહતી અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા)ના નેતૃત્‍વમાં માછી સમાજના આગેવાનોએ પણ પ્રશાસકશ્રી સાથે પોતાના વિચારોની આપ-લે કરી હતી.
માછી સમાજના આગેવાનોએ સમુદ્ર નારાયણ મંદિરના સ્‍થળાંતર તથા જેટીની બાબતમાં પોતાની લાગણી રજૂ કરી હતી. જેના સંદર્ભમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તેમની સમસ્‍યાનું યોગ્‍ય સમાધાન કરવા આશ્વાસન આપ્‍યું હતું.
પ્રારંભમાં પૂર્વ સાંસદ શ્રી ગોપાલ દાદાના નેતૃત્‍વમાં  માછી સમાજના આગેવાનોએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલનું પુષ્‍પગુચ્‍છથી અભિવાદન પણ કર્યુ હતું.

Related posts

દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ઈ-માલખાના પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો

vartmanpravah

કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજનો એન.એસ.એસ. કેમ્‍પ યોજાયો

vartmanpravah

દાનહ ખાનવેલમાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા ફીટ ઈન્‍ડીયા ફ્રીડમ રન યોજાઈ

vartmanpravah

કપરાડાના વડોલી ગામે શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના મહિલા અને બાળ વિકાસ વિભાગની ઉત્‍કૃષ્ટ પહેલ દાનહ અને દમણની 365 આંગણવાડીઓમાં બાળકોને અક્ષય પાત્ર યોજના દ્વારા સ્‍વાદિષ્‍ટ અને પૌષ્‍ટિક મધ્‍યાહન ભોજન આપવામાં આવશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં એક ઇંચ વરસાદ વરસ્‍યો

vartmanpravah

Leave a Comment