October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે સીધી રીતે જોડાયેલા દીવના લોકો

‘મન કી બાત’ના 91મા સંસ્‍કરણને દીવ જિલ્લા સાથે પ્રસારણ માટે સીધા જોડાવા ફરી એકવાર મળેલી તકનો લાભ વધુમાં વધુદીવના લોકો લઈ શકે એ માટે જિલ્લા ભાજપ દ્વારા કરાયેલા વિશેષ પ્રયાસો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.31
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમના 91મા સંસ્‍કરણને આજે દીવ જિલ્લા સાથે પ્રસારણ માટે સીધા જોડાવાનો ફરી એકવાર અવસર પ્રાપ્ત થયો હતો. જેના અનુસંધાનમાં આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલના માર્ગદર્શન હેઠળ ‘મન કી બાત’ કાર્યક્રમના પ્રસારણને વધુમાં વધુ લોકો જોઈ શકે અને સાંભળી શકે તે માટે દીવ ઘોઘલાના ફિશરમેન શેડ ખાતે આયોજન કરવામાં આવ્‍યું હતું.
દીવ જિલ્લાના માછીમારો અને ખલાસીઓ તથા તેમના પરિવારના લોકો આ કાર્યક્રમમાં ખાસ જોડાયા હતા. દીવ જિલ્લાના ભાજપ પ્રમુખ શ્રી બિપીન શાહ, મહામંત્રી શ્રી મોહનભાઈ, દીવ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન સોલંકી અને દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અમૃતાબેન બામણિયાના ખાસ પ્રયાસોથી આ કાર્યક્રમમાં લગભગ 600થી વધુ લોકોએ ઉપસ્‍થિત રહી પ્રધાનમંત્રીશ્રીની ‘મન કી બાત’ સાથે સીધા જોડાયા હતા.
——

Related posts

વલસાડ જિલ્લાની જી.આઈ.ડી.સી.માં ગેરકાયદે બાંધકામો રેગ્‍યુલર કરવાની અરજીની મુદત વધારાઈ

vartmanpravah

પેટ્રોલિયમ ટેક્સથી થયેલી ૨૩ લાખ કરોડની કમાણીનો કેન્દ્ર પાસેથી હિસાબ માગ્યો સરકાર જણાવે, જનતાના પૈસા ક્યાં ગયાઃ રાહુલ ગાંધી

vartmanpravah

પારડીના ખેરલાવમાં લગ્નના પાંચ દિવસ પહેલા કન્‍યા સહિત માતા અને નાની બહેન રહસ્‍યમય રીતે લાપતા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ હોટલ અને બારના લાયસન્‍સ રદ્‌ કરાયા

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

vartmanpravah

Leave a Comment