Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકર અને પ્રદેશ મહામંત્રી મનિષ દેસાઈએ બૂથ સશક્‍તિકરણ અંગેનીસમજાવેલી રણનીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરની અધ્‍યક્ષતામાં દમણ જિલ્લાના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરે ચૂંટણીમાં બૂથના મહત્‍વને ખુબ જ અસરકારક રીતે સમજાવ્‍યું હતું અને સભ્‍યોને પ્રત્‍યેક બૂથ જીતવાની ભાજપની રણનીતિની સમજ આપી હતી.
પ્રદેશ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈએ બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં બૂથ સમિતિના ગઠન, પેજ પ્રમુખ સહિતના સભ્‍યોની વરણી બાબતે માર્ગદર્શન આપ્‍યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રીબેન પટેલ, કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, કડૈયા મંડળના અધ્‍યક્ષ શ્રી જતિનભાઈ પટેલ, પૂર્વ મંડળ અધ્‍યક્ષ શ્રી જયંતિ પટેલ તથા તમામ બૂથોના અધ્‍યક્ષો, ગ્રામ પંચાયતના સભ્‍યો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દીવ જિલ્લા કલેક્‍ટરે એનઆરએલએમ અંતર્ગત 36 સ્‍વયં સમૂહોને રૂા. 36 લાખ સીઆઈએફ તરીકે એનાયત કર્યા

vartmanpravah

વલસાડ જિલ્લાના વહીવટી કેન્‍દ્રના સહયોગથી જે.પી.પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજમાં 36 માં નેશનલ ગેમ્‍સના ઓવેરનેસ પ્રોગ્રામ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને પ્રધાનમંત્રીના આશિર્વાદથી આજથી સંઘપ્રદેશમાં શ્રી વિનોબા ભાવે ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ એલાઈડ સાયન્‍સનો થનારો આરંભ

vartmanpravah

વાપી ઘાટકોપર સ્‍વીટ પાસે સ્‍કોર્પિયો કાર ઉપર લોખંડના સળિયા વડે હુમલો કરવાના કેસમાં 6 આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

અત્‍યંત કઠિન ગણાતી બાબા અમરનાથની યાત્રાએ વલસાડથી 42 ભક્‍તો રવાના

vartmanpravah

બુચરવાડાની સરકારી શાળામાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જી20ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

Leave a Comment