September 14, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ જિલ્લા ભાજપના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં યોજાયેલી બેઠક

પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકર અને પ્રદેશ મહામંત્રી મનિષ દેસાઈએ બૂથ સશક્‍તિકરણ અંગેનીસમજાવેલી રણનીતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : આજે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરની અધ્‍યક્ષતામાં દમણ જિલ્લાના કડૈયા મંડળમાં બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરે ચૂંટણીમાં બૂથના મહત્‍વને ખુબ જ અસરકારક રીતે સમજાવ્‍યું હતું અને સભ્‍યોને પ્રત્‍યેક બૂથ જીતવાની ભાજપની રણનીતિની સમજ આપી હતી.
પ્રદેશ મહામંત્રી શ્રી મનિષભાઈ દેસાઈએ બૂથ સશક્‍તિકરણના સંદર્ભમાં બૂથ સમિતિના ગઠન, પેજ પ્રમુખ સહિતના સભ્‍યોની વરણી બાબતે માર્ગદર્શન આપ્‍યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી મહેશભાઈ આગરિયા, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રીબેન પટેલ, કડૈયાના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, કડૈયા મંડળના અધ્‍યક્ષ શ્રી જતિનભાઈ પટેલ, પૂર્વ મંડળ અધ્‍યક્ષ શ્રી જયંતિ પટેલ તથા તમામ બૂથોના અધ્‍યક્ષો, ગ્રામ પંચાયતના સભ્‍યો વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ બ્રહ્મસમાજનું ગૌરવ, શિવાની આચાર્ય પીએચડી થયા

vartmanpravah

રોહિણા ખાતે સમસ્‍ત ધોડીયા સમાજ કુળ પરિવાર ટ્રસ્‍ટનું સાતમું સંમેલન મળ્‍યું: સમાજના કુરિવાજોને દૂર કરવા આહવાન કરવામાં આવ્‍યું

vartmanpravah

‘‘બેટી વધાવો” અભિયાન હેઠળ વાપીમાં પીસી એન્‍ડ પીએનડીટી એક્‍ટ અંતર્ગત વર્કશોપ યોજાયો

vartmanpravah

આજે વાપી નગરપાલિકા દ્વારા પાણી સપ્‍લાય બંધ રહેશે: ભર ઉનાળે પાણીની બુમો વચ્‍ચે લેવાયેલ નિર્ણયથી લોકરોષ

vartmanpravah

વાપી નૂતનનગરમાં ઘરની સામે પાર્ક કરેલી ઈકો કાર રાતમાં ઉપડી ગઈ

vartmanpravah

ધરમપુરના ગડી અને કપરાડાના ગિરનાળામાં રૂા.1-1 કરોડના ખર્ચે નવનિર્મિત આશ્રમશાળાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરાયેલું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment