મચ્છીમારીની નવી મૌસમનો પ્રારંભ હવે ગણતરીના દિવસોમાં થવાનો છે. ત્યારે આજેઉમરગામ તાલુકાના આદિવાસી સાગરખેડૂઓ પોરબંદર માટે બસ દ્વારા ભિલાડ ખાતેથી રવાના થયા હતા. ત્યારે તેમને વળાવવા માટે પોતાની ધર્મપત્નીઓ, સંતાનો, માતા, પિતા, ભાઈ, બહેન અને મિત્રો પણ આવ્યા હતા.
આંખમાં વિરહની વેદના અને ઉચાટ પણ પરિવારજનોમાં હતો. દરિયો ખેડવા જઈ રહેલા આદિવાસી સાગરખેડૂઓ હેખખેમ પરત ફરે તે માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા.