July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સરીગામ નોટીફાઇડ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની ઈન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ માઈન્‍સ ડિપાર્ટમેન્‍ટ ગાંધીનગર દ્વારા કરવામાં આવેલી રચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) 
સરીગામ, તા.02: સરીગામ નોટીફાઈડ વિસ્‍તારમાં મહત્‍વની જવાબદારી નિભાવતી ગવર્નિંગ બોડી બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની રાજ્‍ય સરકારના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ એક્‍ટ, 1962 અને ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ (નોટિફાઈડ એરીયા) રૂલ્‍સ 2007 અંતર્ગત જોઈન્‍ટસેક્રેટરી ટુ ગવર્મેન્‍ટ ઓફ ગુજરાત ઈન્‍ડસ્‍ટ્રીઝ એન્‍ડ માઈન્‍સ ડિપાર્ટમેન્‍ટ દ્વારા 8 સભ્‍યોની બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની કરેલી રચનામાં ત્રણ સભ્‍યો સરકારના પ્રતિનિધિ છે જેમાં ડિવિઝનલ મેનેજર જીઆઈડીસી વાપી, સુપ્રીન્‍ટેન્‍ડીંગ એન્‍જિનિયર જીઆઈડીસી સુરત, અને ડેપ્‍યુટી એક્‍ઝિકયુટ એન્‍જિનિયર (ચીફ ઓફિસર) સારીગામનો સમાવેશ થાય છે. જ્‍યારે ઔદ્યોગિક સંગઠનના પ્રતિનિધિ તરીકે એસઆઈએના પ્રેસિડેન્‍ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, એસ.આઈ.એ.ના સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલી, શ્રી કૌશિકભાઈ પી. પટેલ, શ્રી સજ્જનભાઈ મુરારકા અને શ્રી નીતિનભાઈ વી. ઓઝાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે. આ સાથે સરીગામ નોટીફાઈડ વિસ્‍તાર માટે રચવામાં આવેલી બોર્ડ ઓફ મેનેજમેન્‍ટની ગવર્નિંગ બોડીમાં અનુભવી અને ઉદ્યોગોની હિતમાં પારદર્શક રીતે કામ કરનારા અગ્રણી ઉદ્યોગપતિઓનો સમાવેશ કરવામાં આવ્‍યો હોવાની ઔદ્યોગિક આલમમાં લાગણી અનુભવાય રહી છે.

Related posts

દાનહ અને દમણ-દીવની કલગીમાં એક ઔર યશનો ઉમેરો: સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ઉત્‍કૃષ્‍ટ કામગીરી માટે પ્રદેશની બે ખ્‍ફપ્‍ને મળ્‍યો રાષ્‍ટ્રીય નાઈટિંગેલ ફલોરેન્‍સ એવોર્ડ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી નરોલીના એક વ્‍યક્‍તિએ ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઇડને સ્‍વચ્‍છ સર્વેક્ષણ જાગળકતા અભિયાન માટે સામરવરણી પંચાયત દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ની રીજીયન 5 અને 6 વલસાડ જિલ્લામાં આવતી લાયન્‍સ ક્‍લબ દ્વારા ધરમપુર ખાતે નિઃશુલ્‍ક વિકલાંગ શિબિર યોજાશે

vartmanpravah

ટુકવાડા હાઈવે ઉપર મચ્‍છરદાની, ધાબળા, ચાદર ભરેલ ગુડ્‍ઝ વાનમાંથી 90 હજારનો દારૂ ઝડપાયો

vartmanpravah

દીવના વણાકબારાથી 150 કિલોમીટર દૂર જલારામ કૃપા બોટમાં પાણી ભરાતા દરિયામાં ગરકાવ: ખલાસીઓનો બચાવ

vartmanpravah

Leave a Comment