(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
દાદરા નગર હવેલીમાં આજે એક નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો છે. જિલ્લામાં હાલમા 04 સક્રિય કેસ છે અને અત્યાર સુધીમાં 6322 કેસ રીક્વર થઈ ચુક્યા છે. જ્યારે ત્રણ વ્યક્તિનું મોત થયેલ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 222 નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેમાંથી આજે 01 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને રેપિડ એન્ટિજનના 46 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી એક પણ રિપોર્ટ પોઝિટિવ આવેલ નથી.
જિલ્લામાં 01કંટાઈમેન્ટ ઝોન નક્કી કરાયો છે. પ્રદેશમાં એક દર્દી સાજો થતાં તેને હોસ્પિટલ સેવામાંથી ઘરે જવા રજા આપવામાં આવી હતી.
દાનહ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી સેન્ટર પર અને સબ સેન્ટરોમાં કોવીશીલ્ડવેક્સીનનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજે 4789 લોકોને રસી આપવામાં આવ્યા હતી. જિલ્લામાં પ્રથમ ડોઝ 459541 અને બીજો ડોઝ 349581 વ્યક્તિઓને આપવામાં આવ્યો છે. જ્યારે પ્રિકોશન ડોઝ 32970 વ્યક્તિઓને આપવામાં આવ્યા છે. કુલ 842092 લોકોને રસી આપવામાં આવી છે.
Next Post