January 16, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

નાનાપોંઢા બજાર હવે દર રવિવારે ચાલું રહેશે : ગ્રામ પંચાયતે કરેલીજાહેરાત

વેપારીઓને પડી રહેલ નુકસાન બાબતે પંચાયતમાં રજૂઆતો થતી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03
નાનાપોંઢા બજાર તા.1 ઓગસ્‍ટથી દરેક રવિવારે બજાર ચાલુ રહેશે તેવો નિર્ણય ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરવામાં આવ્‍યો છે. વેપારીઓને રવિવારે બજાર બંધ રહેતા નુકશાન ભોગવવું પડતું હતું. તેથી વેપારીઓની રજૂઆત બાદ પંચાયત-તલાટી-ગ્રામ સેવક અને સરપંચ દ્વારા રવિવારે બજાર ચાલુ રાખવાની છૂટછાટ જાહેર કરવામાં આવી હતી.
નાનાપોંઢા પંચાયત હોલમાં સરપંચ મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં મળેલી ગ્રામ સભાની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્‍યો છે કે દરેક રવિવારે નાનાપોંઢા બજાર ચાલુ રહેશે. પાંચ વર્ષ પહેલાં પંચાયત દ્વારા બજાર છેલ્લા રવિવારે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો તેનો અમલ ચાલુ હતો પરંતુ વેપારીઓ અને ખાસ કરીને શાકભાજીના વેપારીઓને ખાસ્‍સુ નુકશાન થતું હતું તે દરરોજ બજાર ચાલું રાખવાની રજૂઆથ થતી રહેતી હતી તેથી નાનાપોંઢા ગ્રા.પં. દ્વારા જાહેરાત કરાઈ છે કે હવે સળંગ મહિનો બજાર ચાલુ રહેશે.

Related posts

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah

સેલવાસ કોર્ટ નજીક નવનિર્મિત બ્રિજ પર ડમ્‍પર પલ્‍ટી ગયું

vartmanpravah

બીલીમોરા – ચીખલી સહિત ખેરગામ પંથકમાં હોળી-ધુળેટી પર્વની ઉજવણી માટે રંગબેરંગી કલરઅને પિચકારીઓનું વેચાણ શરૂ

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

ચીખલી પોલીસે બલવાડા હાઈવે પરથી આઈસર ટેમ્‍પોમાંથી દારૂ ઝડપી પાડયો

vartmanpravah

દાનહમાં જો કોઈ ઉદ્યોગ કે કોન્‍ટ્રાક્‍ટરે લઘુત્તમ વેતન ધારાનો ભંગ કર્યો તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશેઃ દાનહના શ્રમ ઉપ આયુક્‍ત ચાર્મી પારેખે જારી કરેલો સરક્‍યુલર

vartmanpravah

Leave a Comment