April 29, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડીની પરિયા પીએચસીમાં મેડિકલ સાધનો અને સિવિલ વર્ક માટે રૂ.12.61 લાખના એમઓયુ કરાયા

જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની અને પિડીલાઈટ કંપનીના
સિનિ.વાઈસ પ્રેસિડન્‍ટ વચ્‍ચે કરાર થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લા પંચાયતના આરોગ્‍ય શાખાના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રો પરથી આરોગ્‍યલક્ષી સેવાઓ નાગરિકોને આપવામાં આવે છે. જેને વધુ સુદઢ બનાવવાનાં હેતુથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ પિડીલાઈટ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ કંપનીના સિનિયર વાઈસ પ્રેસિડન્‍ટ ડો.પી.કે.શુકલા સાથે પારડી તાલુકાના પરિયા ગામના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર માટે મેડિકલ સાધનો તથા સિવિલ વર્ક કામો માટે અંદાજીત કુલ રૂ.12.61 લાખ (મહત્તમ મર્યાદા)ના કરાર (એમઓયુ) કર્યા છે.
કરાર મુજબ પિડીલાઇટ ઈન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ દ્વારા કંપનીના સીએસઆર ફંડમાંથી પીએચસીમાં ઉપયોગી સાધનોની ખરીદી કરીઆરોગ્‍ય શાખાને પુરા પાડવામાં આવશે અને પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર પરિયા ખાતે સિવિલ વર્ક પ્રિન્‍ટિંગ પણ સાથે પૂર્ણ કરી આપશે. આ કરાર મુજબ પુરા પાડવામાં આવનાર સાધનોની વિગતો જોઈએ તો રૂ.75 હજારના ખર્ચે લેબર બેડ, રૂ.15 હજારના ખર્ચે ફિટલ ડોપ્‍લર ટેબલ ટોપ, રૂ.2.80 લાખના ખર્ચે જનરેટર 5 ધ્‍ષ્‍, રૂ.60 હજારના ખર્ચે ઈ.સી.જી. મશીન, રૂ.23 હજારના ખર્ચે ફયુમીગેશન મશીન, રૂ.17 હજારના ખર્ચે બાયોમેડીકલ વેસ્‍ટ ટ્રોલી, રૂ.15 હજારના ખર્ચે બાયોમેડીકલ વેસ્‍ટ મોપ, રૂ.24 હજારના ખર્ચે ક્રેશ કાર્ટ ટ્રોલી, રૂ.16 હજારના ખર્ચે ઈન્‍સટ્રુમેન્‍ટ ટ્રોલી, રૂ.15 હજારના ખર્ચે જેનીટર કાર્ટ, રૂ.58 હજારના ખર્ચે ઓપરેશન થીયેટર લાઈટ, રૂ.4500ના ખર્ચે ઈ.એન.ટી. હેડ લાઈટ, રૂ.15 હજારના ખર્ચે ઓટોસ્‍કોપ અને રૂ.6,44,058ના ખર્ચે સિવિલ વર્ક પ્રિન્‍ટિંગ સાથે કરવામાં આવશે. આમ કુલ રૂ.12,61,558 ના ખર્ચે સાધનોની ખરીદી અને સિવિલ કામ કરવામાં આવશે.

Related posts

સંઘપ્રદેશમાં પ્રશાસક પ્રફુલભાઈ પટેલે આંગણવાડી વર્કરો-સહાયકો તથા આશા વર્કરોના વેતનમાં વધારાની કરેલી જાહેરાત

vartmanpravah

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે હેલ્‍પિંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટને કાર્ડિયાક/ઇન્‍ટેન્‍સીવ કેર એમ્‍બ્‍યુલન્‍સ અર્પણ કરાઇ

vartmanpravah

વિશ્વ સાયકલ દિવસ” નિમિત્તે વલસાડમાં “ચલ સાયકલ ચલાવવા જઈએ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

…તો ગ્રામ પંચાયતના સરપંચો જ હોળીના નારિયેળ બનશે

vartmanpravah

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

vartmanpravah

Leave a Comment