April 27, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં સચિવ અને દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રા.પં.ની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની માતાઓને આપેલું માર્ગદર્શન

કુપોષિત બાળકોની સ્‍થિતિમાં સુધાર થાય એ માટે સતર્કતા રાખવા અને પૌષ્‍ટિક આહારની કિટ ખરીદવાની વ્‍યવસ્‍થા કરવા નિયુક્‍ત નોડલ અધિકારીઓ, આરોગ્‍યકર્મીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને આપેલા જરૂરી નિર્દેશો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.28: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને નેતૃત્‍વમાં ‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દાનહ જિલ્લા કલેક્‍ટર શ્રી પ્રિયાંક કિશોર, ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટર અને ગ્રામ પંચાયતના સરપંચો, ચૂંટાયેલા વોર્ડ સભ્‍યો તથા જિલ્લા પંચાયતના સભ્‍યોએ ખાનવેલ સબ ડીવીઝનના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રામ પંચાયતની આંગણવાડીઓ ખાતે કુપોષિત બાળકોની યાદીની સમીક્ષા કરી હતી અને ‘આયુષ્‍યમાન ભવઃ’ અંતર્ગત નિમણૂક કરવામાં આવેલ નોડલ અધિકારીઓ, આરોગ્‍ય વિભાગના કર્મચારીઓ અને દૂધની, ખાનવેલ અને ખેરડી પંચાયતને જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્‍યા હતા અને કુપોષિત બાળકોની માતાઓને આવશ્‍યક માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
જેમાં પાછલા બેથી ત્રણ મહિનામાં કુપોષિત બાળકોની સ્‍થિતિમાં સુધાર થાય એવી વ્‍યવસ્‍થા અને સતર્કતા રાખવા પણ જણાવવામાં આવ્‍યું હતું. આ સંદર્ભમાં કુપોષિત બાળકોના પોષણ માટે પૌષ્‍ટિક આહારની કિટ ખરીદવાની વ્‍યવસ્‍થા કરવા માટે પણ જરૂરી નિર્દેશો આપવામાં આવ્‍યા હતો. આ અવસરે વિભાગના અધિકારીઓએ આંગણવાડી અને ઘરે ઘરે જઈ કુપોષિત બાળકો અનેએમની માતાઓને કેળા અને ચોકલેટનું વિતરણ કર્યું હતું.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી જિલ્લામાં કુપોષણની સમસ્‍યા વહેલામાં હવેલી તકે નાબૂદ થાય એ દિશામાં પ્રશાસન સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.
સંઘપ્રદશેના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કુપોષણ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલ અભિયાન માટે દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રામ પંચાયત વિસ્‍તારના કુપોષિત બાળકોની માતાઓએ પ્રશાસકશ્રીનો દિલથી આભાર માન્‍યો હતો.

Related posts

એસઆઇએસ અને ગાયત્રી શક્‍તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દમણ જિલ્લામાં ગ્રામ પંચાયતો દ્વારા સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વિવિધ હેલ્‍થ સેન્‍ટર સહિત સરકારી ઉપક્રમોની કરેલી સાફ-સફાઈ

vartmanpravah

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જ્‍યંતીની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વરસાદી માહોલમાં બીલીમોરા ખાતે તિરંગો લહેરાવતા પાણી પુરવઠા રાજ્‍ય મંત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

દાનહના રખોલીની આર.આર.કેબલ લિમિટેડ કંપનીમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દમણ જિ.પં.માં અપક્ષ ચૂંટાયેલા ડો. ભૂપેન્‍દ્ર પટેલની જાહેર આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષપદે બિનહરીફ વરણી

vartmanpravah

Leave a Comment