July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ રવિવારી બજારમાં ગણપતિ ફાળા માટે મારામારી થઈઃ 50ની રસીદ સામે 100 ઉઘરાવાતા હતા

ગણપતિ મહોત્‍સવ નજીકમાં આવી રહ્યો છે : ફાળા ઉઘરાણીનું નેટવર્ક બેફામ ચલાવાઈ રહ્યું છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વલસાડમાં રવિવારી બજારમાં ગણપતિ ફાળો ઉઘરાવવા મામલે મારામારી થઈ હતી. ફાળો નહીં આપનાર ફેરીવાળાને ફાળો ઉઘરાવવા આવેલ અજાણ્‍યા ઈસમોએ ઢોર માર મારતા બજારમાં મામલો બીચકાયો હતો.
વલસાડ સ્‍ટેડિયમ રોડ ઉપર રવિવારી બજાર છે. ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો આ બજારમાં મોટા પ્રમાણમાં ખરીદી કરવા આવતા હોય છે તેથી ફેરી અને પથારાવાળા નાના મોટા વેપારીઓ વેપાર કરે છે. આ રવિવારી બજારમાં ગતરોજ કોઈ અજાણી ટોળકી વાઉચર-રસીદો લઈ ગણપતિ મહોત્‍સવના ફાળાની ઉઘરાણી શરૂ કરી હતી. ટોળકીના ઈસમો 100 રૂા. ઉઘરાવી 50 રૂા.ની રસીદ આપતા હતા, જેમને વકરો-વેપાર થયો હતો તેઓ ફાળો આપી રહ્યા હતા પરંતુ બોણી ના થઈ હોય તેવા ફેરીવાળાએ ફાળા નહી આપતા અજાણ્‍યા ફાળો ઉઘરાવવા આવેલ ટોળકી પેલા વેપારીને જાહેરમાં ઢોર માર મારી ધોઈ નાખ્‍યો હતો. ઘટના બાદ ગણપતિનો ફાળો ઉઘરાવનારા પલાયન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા સીટી પોલીસ દોડી આવી હતી. ફાળો ઉઘરાવતા ઈસમોની શોધખોળ હાથ ધરી હતી.ગણપતિ મહોત્‍સવને બહાને અસામાજીક તત્ત્વો ફાળાની ઉઘરાણી કરવા બિલાડીના ટોપની જેમ દર વર્ષે નિકળતા હોય છે.

Related posts

દીવ કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાના કોળી પટેલ સમાજની શૈક્ષણિક ક્ષેત્રે ઊંચી છલાંગઃ ડોક્‍ટર, સી.એ., પી.એચડી. સહિત વિવિધ ક્ષેત્રના તેજસ્‍વી તારલાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

મકરસંક્રાતી ચિત્રસ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

કપરાડાની ખાતુનિયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રીની સહાય કરાઈ

vartmanpravah

બાલદા એલ એન્‍ડ ટી કંપનીમાં બે દિવસ અગાઉ જ કામ કરવા આવેલા કામદારનું મોત

vartmanpravah

Leave a Comment