(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: દાદરા નગર હવેલીના મોરખલ ગામે ધોડીપાડા અને ડુંગરીપાડા રાઉતપાડા વચ્ચેથી પસાર થતી ખનકી પરનો પુલ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદનાકારણે વધેલા પાણીના પ્રવાહમાં તુટી ગયો છે. આ પુલ તુટી જવાને કારણે ગામડાથી સેલવાસ તરફ નોકરી-ધંધાર્થે આવતા-જતાં હજારો લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ પુલ તુટી જવાને કારણે ગ્રામજનોએ ચાર કિલોમીટરનો ચકરાવો લેવાની નોબત આવી છે. આ રસ્તાનો ઉપયોગ કપરાડા તાલુકાના કેટલાક ગામના લોકો પણ ઉપયોગ કરે છે જેઓને પણ આ પુલ તુટી જવાને કારણે ભારે પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે.