(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08: દમણના ઉભરતા પત્રકાર અને દમણ સ્વરાજ યુ ટયુબ ચેનલના સંચાલક શ્રી પંકજભાઈ પટેલ(ભંડારી)ની આજે તેમના નિવાસ સ્થાન રાધા માધવ રેસીડેન્સીમાંથી નિકળેલી સ્મશાન યાત્રા દરમિયાન તેમના પરિવારજનોના કલ્પાંતથી સમગ્ર વિસ્તાર હિબકે ચડયો હતો.
શનિવારની મોડી રાત્રે શ્રી પંકજભાઈ પટેલનું હૃદયરોગના હૂમલાથી આકસ્મિક નિધન થયું હતું. તેમનો પુત્ર ઓસ્ટ્રેલિયાહોવાથી આજે તેમનું આગમન થયા બાદ અંતિમ વિધિ કરવામાં આવી હતી.
આજે નિકળેલી સ્વ. પંકજભાઈ પટેલની સ્મશાન યાત્રામાં ખુબ જ મોટી સંખ્યામાં તેમના સગાં-સંબંધીઓ, શુભેચ્છકો અને આગેવાનો જોડાયા હતા. દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણ નગરપાલિકાના કાઉન્સિલરો, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, પૂર્વ સરપંચો, પત્રકારો-તંત્રીઓ પણ ખુબ મોટી સંખ્યામાં જોડાઈ સ્વ. પંકજભાઈ પટેલના દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ આપી હતી.