October 13, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શનિવારે જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલઃ ઈન્‍ડિયા દિવસ તરીકે ઉજવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા. 09: સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શનિવારે 13મી ઓગસ્‍ટના રોજ ‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દમણ ખાતે ભારત દિવસ તરીકે મનાવવામાં આવશે. જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલના રૂપમાં દરેક સમુદાયના નેતાઓ, સાંસ્‍કૃતિક કલાકારો અને આમજનતા પોતપોતાના રાજ્‍ય અને સમુદાયની વેશભૂષા સાથે જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સ્‍વરૂપે પહોંચશે.

અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભારતના તમામ રાજ્‍યોના લોકો વસવાટ કરે છે અને તેમના રીતિ-રિવાજોની ઉજવણી પણ કરે છે. ત્‍યારે સંઘપ્રદેશનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શનિવારે ‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત ‘ઈન્‍ડિયા ડે’ની ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે ઉપસ્‍થિત લોકો દ્વારા પોતાના પ્રદેશના પારંપારિક સાંસ્‍કૃતિક નૃત્‍ય અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરશે.

Related posts

દાનહ અને દમણ મ્‍યુનિસિપલ કાઉન્‍સિલ રેગ્‍યુલેશન 2004 અંતર્ગત 2022માં કરાયેલા સુધારાથી દમણ અને સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપપ્રમુખના પદ માટે સર્જાયેલી અનિશ્ચિતતા

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય શાખા દ્વારા 63 મેડિકલ ઓફિસરો માટે સર્પદંશની સારવાર અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

2024 લોકસભા ચૂંટણીઃ નરોલીમાં વિકાસનું રોલર ફરી વળવાની સંભાવનાઃ શિક્ષિત બેરોજગારી યક્ષ પ્રશ્ન પણ બની શકે છે

vartmanpravah

દાનહની અલગ અલગ પંચાયતોમાં રાત્રિ ચૌપાલનું આયોજન કરાયું

vartmanpravah

વાપીમાં કાર ચોરવા તસ્‍કરો સોસાયટીમાં ઘૂસ્‍યા: કાર ચોરીનો મેળ નહી પડતા જે મળ્‍યુ તે લઈ ભાગી છૂટયા

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા ધારાસભ્‍ય અનંત પટેલની આગેવાનીમાં આમધરા ગામમાં વિકાસના કામોમાં થયેલા ભ્રષ્ટાચારના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરાયું

vartmanpravah

Leave a Comment