Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત શનિવારે જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલઃ ઈન્‍ડિયા દિવસ તરીકે ઉજવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દમણ, તા. 09: સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા શનિવારે 13મી ઓગસ્‍ટના રોજ ‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દમણ ખાતે ભારત દિવસ તરીકે મનાવવામાં આવશે. જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સહ કાર્નિવલના રૂપમાં દરેક સમુદાયના નેતાઓ, સાંસ્‍કૃતિક કલાકારો અને આમજનતા પોતપોતાના રાજ્‍ય અને સમુદાયની વેશભૂષા સાથે જમ્‍પોર બીચથી લાઈટ હાઉસ સુધી રેલી સ્‍વરૂપે પહોંચશે.

અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ભારતના તમામ રાજ્‍યોના લોકો વસવાટ કરે છે અને તેમના રીતિ-રિવાજોની ઉજવણી પણ કરે છે. ત્‍યારે સંઘપ્રદેશનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શનિવારે ‘આઝાદીકા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત ‘ઈન્‍ડિયા ડે’ની ઉજવણી કરવામાં આવશે.

આ પ્રસંગે ઉપસ્‍થિત લોકો દ્વારા પોતાના પ્રદેશના પારંપારિક સાંસ્‍કૃતિક નૃત્‍ય અને સાંસ્‍કૃતિક કાર્યક્રમો પણ પ્રદર્શિત કરશે.

Related posts

દાનહઃ સુરંગી ગ્રામ પંચાયત ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું સ્‍વાગત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સમાજ કલ્‍યાણ અને બાળ સુરક્ષા સમિતિ દ્વારા‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ મુખ્‍ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા મતદારો માટે વોટ્‍સ એપ સેવા શરૂ કરાઈ

vartmanpravah

એચપી ગેસ તથા સીડીપીઓ મિશન શક્‍તિના સંયુક્‍ત ઉપક્રમે દીવમાં ગેસ સુરક્ષાને લઈ ‘રસોઈ મારી જીમ્‍મેદારી’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે તોફાની વરસાદ : દિવસમાં અંધારપટ છવાયો

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નાતાલના તહેવાર અંગે મળી શાંતિ સમિતિની બેઠક

vartmanpravah

Leave a Comment