Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વલસાડ વિસ્‍તારમાં કાર ચાલકો બેફામ : વધુ ત્રણ ગૌવંશો ઉપર કાર ફરી વળતા ચકચાર

ધરમપુર રોડ મણીબાગ સોસાયટી સામે ઘટેલી ઘટનાથી જીવદયા પ્રેમીઓમાં રોષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: વલસાડ વિસ્‍તારમાં ગૌવંશો ઉપર કારો ફેરવી કચડી મારવાની ઘટના ગતરોજ માલવણ નજીક ઘટી હતી. ત્‍યાં વધુ એવી ઘટના ધરમપુર રોડ મણીબાગ સોસાયટી સામે ઘટી હતી. બેફામ કાર ચલાવી રહેલ કોઈ ઈસમ રોડ ઉપર બેઠેલ ત્રણ ચાર ગૌવંશને કાર ભટકાવી ફરાર થઈ જતા આજુબાજુના વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘાયલ ગૌવંશને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.
વલસાડ ધરમપુર રોડ ઉપર મણીબાગ સોસાયટી સામે કોઈ અજાણ્‍યા ઈનોવા કાર ચાલક રસ્‍તા ઉપર બેઠેલા ત્રણ-ચાર ગૌવંશ ઉપર બેફીકરાઈથી કારને ભટકાવી નાસી ગયો હતો. ઘટનાની જાણ લોકોએ અગ્નિવીર ગૌસેનાને કરતા કાર્યકરો ઘટના સ્‍થળે દોડી આવ્‍યા હતા. વેટનરી વાન બોલાવીને ઘાયલ ગૌવંશને દવાખાને સારવાર માટે ખસેડાયેલ. શહેરમાં માલવણની 11 ગૌવંશ મોત અને 8 ઘાયલ થયાની સમાંતર જ એવી જ ઘટના ઘટતા લોકોમાં બેફામ વાહન ચલાવતા લોકો સામે સખ્‍ત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Related posts

સેલવાસ ડિસ્‍ટ્રીક્‍ટ કોર્ટ પરિસરમાં લોક અદાલત યોજાઈ

vartmanpravah

કપરાડામાં માજી તા.પં. સભ્‍યની યુવતીની લાજ બચાવવા વચ્‍ચે પડતા ગુપ્તાંગમાં લાતો મારી હત્‍યા કરાઈ

vartmanpravah

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah

સૌરાષ્‍ટ્રના માછીમારો 12 નોટિકલ માઈલની અંદર આવી માછીમારી કરતા હોવાથી વલસાડ કાંઠા વિસ્‍તારના 10 ગામોના માછીમારોએ 700 જેટલી બોટ બંધ રાખી વિરોધ નોંધાવ્‍યોઃ 2 હજાર માછીમારો એકઠા થયા

vartmanpravah

મધ્‍યપ્રદેશથી દીવ આવેલા વૃદ્ધ પર્યટકનું હૃદયરોગના હૂમલામાં મોત

vartmanpravah

કોલવેરા : કોલક નદીનું ઉદગમ સ્થાન અને કોલવેરા ડુંગરનો પ્રાચીન ઈતિહાસ

vartmanpravah

Leave a Comment