Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા સરકારી હાઈસ્‍કૂલ ખાતે એક્‍ઝિબિશન કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓમાં દેશભક્‍તિની ભાવના બની રહે એ માટે કરવામાં આવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12
દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણીના સંદર્ભમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે દાદરા નગર હવેલીના દાદરા ગામે ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં દેશભક્‍તિની ભાવના જળવાઈ રહે એના માટે દેશભક્‍તિ એક્‍ઝિબિશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. એક્‍ઝિબીશન કાર્યક્રમનું ઉદ્‌ઘાટન દાદરાના ઉપ સરપંચ શ્રી કમલેશ દેસાઈના હસ્‍તે રીબીન કાપી કરવામાં આવ્‍યું હતું. આ એક્‍ઝિબીશનમાં 75 વર્ષ પહેલાં આપણો દેશ આઝાદ થયો હતો ત્‍યારની હિસ્‍ટ્રી સાથે ફોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શાળાના બાળકોને ભારતના ઈતિહાસની જાણ થાય એ હેતુથી આ એક્‍ઝિબીશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ મોટી સંખ્‍યામાં લાભ લીધો હતો અને દેશની આઝાદીના ઈતિહાસ બાબતની જાણકારી મેળવી હતી. આ સાથે તંબાકુ મુક્‍ત પ્રદેશ બને એના માટે પણ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા. પ્રશાસનનોપ્રયાસ બાળકોને દેશની આઝાદીનો સંઘર્ષ અને દેશની પ્રગતિથી માહિતગાર કરવાનો છે. કારણ કે આગળ જતાં આ બાળકો ઉપર જ દેશના ભાવિને સાચવવાની જવાબદારી આવવાની છે. આ અવસરે દાદરાના ઉપ સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ, પંચાયતના સભ્‍યો, શાળાના આચાર્ય ડી.ડી.મન્‍સૂરી, શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્‍યા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
——————-

Related posts

દમણના બીડીઓ તરીકે મિહિર જોશીની વરણીઃ રાહુલ ભીમરાને દાનહના કલેક્‍ટરાલયમાં વેટ અને જીએસટીનો પ્રભાર

vartmanpravah

વલસાડ જિલ્લા તંત્રના ભેદી મૌનથી છેવટે સેલવાસ ન.પા. દ્વારા જ પીપરિયા બ્રિજની આજુબાજુ ખડકાયેલા ગંદકીના ડુંગરને દૂર કરાયા

vartmanpravah

પરિયારી ભાજપ મંડળના અધ્‍યક્ષ બનતા શ્‍યામ વિષ્‍ણુ હળપતિઃ ભાજપનો જનાધાર ઔર વધુ મજબૂત બનવાની ધારણાં

vartmanpravah

દાનહની દેમણી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ ટોકરખાડા નજીક શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

vartmanpravah

Leave a Comment