December 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા સરકારી હાઈસ્‍કૂલ ખાતે એક્‍ઝિબિશન કાર્યક્રમ યોજાયો

વિદ્યાર્થીઓમાં દેશભક્‍તિની ભાવના બની રહે એ માટે કરવામાં આવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.12
દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણીના સંદર્ભમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આજે દાદરા નગર હવેલીના દાદરા ગામે ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં દેશભક્‍તિની ભાવના જળવાઈ રહે એના માટે દેશભક્‍તિ એક્‍ઝિબિશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. એક્‍ઝિબીશન કાર્યક્રમનું ઉદ્‌ઘાટન દાદરાના ઉપ સરપંચ શ્રી કમલેશ દેસાઈના હસ્‍તે રીબીન કાપી કરવામાં આવ્‍યું હતું. આ એક્‍ઝિબીશનમાં 75 વર્ષ પહેલાં આપણો દેશ આઝાદ થયો હતો ત્‍યારની હિસ્‍ટ્રી સાથે ફોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. શાળાના બાળકોને ભારતના ઈતિહાસની જાણ થાય એ હેતુથી આ એક્‍ઝિબીશનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ મોટી સંખ્‍યામાં લાભ લીધો હતો અને દેશની આઝાદીના ઈતિહાસ બાબતની જાણકારી મેળવી હતી. આ સાથે તંબાકુ મુક્‍ત પ્રદેશ બને એના માટે પણ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શપથ લીધા હતા. પ્રશાસનનોપ્રયાસ બાળકોને દેશની આઝાદીનો સંઘર્ષ અને દેશની પ્રગતિથી માહિતગાર કરવાનો છે. કારણ કે આગળ જતાં આ બાળકો ઉપર જ દેશના ભાવિને સાચવવાની જવાબદારી આવવાની છે. આ અવસરે દાદરાના ઉપ સરપંચ શ્રી કમલેશભાઈ દેસાઈ, પંચાયતના સભ્‍યો, શાળાના આચાર્ય ડી.ડી.મન્‍સૂરી, શાળાના શિક્ષકો સહિત મોટી સંખ્‍યા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
——————-

Related posts

પિપરિયા પર હુમલો, માતૃભૂમિની મુક્‍તિ કાજે લડાઈ લડવા નીકળેલા, શ્રી વિનાયકરાવ આપટેના હાથ નીચે તૈયાર થયેલા આ સો સવાસો યુવાનોનો મોટો ગુણ એ હતો કે પ્રાણની પરવા જેવા શબ્‍દો એમના શબ્‍દકોશમાં જ ન હતા

vartmanpravah

સરીગામને પ્‍લાસ્‍ટિક મુક્‍ત બનાવવા સરપંચએ હાથ ધરેલી કવાયત સાથે પ્રદૂષણ મુક્‍ત કરવા સરીગામ વાસીઓમાં ઉઠેલી માંગ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી દ્વારા રોટરી હરિયા હોસ્‍પિટલમાં ડોક્‍ટર-ડેની શાનદાર ઉજવણી

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ આપેલી વેલકમ કિટઃ પાઠવેલી શુભકામના

vartmanpravah

તા.૧૮મી ડિસેમ્‍બરે કપરાડા તાલુકામાં કોવિડ-૧૯ રસીકરણ મેગા ડ્રાઇવ માટે ૨૫ હજારથી ડોઝ ઉપલબ્‍ધ કરાશે

vartmanpravah

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

vartmanpravah

Leave a Comment