Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

વરસતા વરસાદમાં શહેરના માર્ગો ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા. 18: વડાપ્રધાનશ્રીના હર ઘર તિંરગા અભિયાન અંતર્ગત વલસાડની જેસીઆઈ સંસ્થા દ્વારા સ્વતંત્ર્ય પર્વના આગલા દિવસે રાત્રે નવો ઈતિહાસ લખાયો હતો. આઝાદીના આગલા દિવસે જે માહોલ હતો તેવો આબેહુબ માહોલ તા. 14મી ઓગસ્ટે રાત્રે જોવા મળ્યો હતો. વરસતા વરસાદમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર મશાલ રેલીમાં જોડાયા હતા. શહેરના માર્ગો ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી ગુંજી ઉઠતા સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.
1947માં 14 મી ઓગસ્ટના રોજ જે રીતે આઝાદીનો ઉત્સવ ઉજવાયો હતો તેની સ્મૃતિના રૂપે વલસાડ જેસીઆઈ દ્વારા 14 ઓગસ્ટે આઝાદ ચોક ખાતે રાત્રે 8-30 કલાકે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બાળકો તેમજ વિવિધ સંસ્થા દ્વારા દેશભક્તિની થીમ ઉપર સંગીતના તાલે વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. રાત્રે 10 કલાકે ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે શહેરના મુખ્ય માર્ગો પર મશાલ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અંદાજે 3000 લોકો સ્વયંભૂ ઉમટ્યા હતા. યુવાનોને આઝાદીનું મહત્વ અને દેશ પ્રત્યેની ફરજો સમજાવવાનો એક વિનમ્ર પ્રયાસ પણ જેસીઆઈ દ્વારા કરાયો હતો. આ ભવ્ય ઉજવણીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પ્રોહીબિશન એન્ડ એક્સાઇઝ વિભાગ, ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ, અનાવિલ સમાજ વલસાડ, અખિલ હિન્દ મહિલા પરિષદ, શ્રી સાંઈનાથ સેવાભાવી મંડળ, બીનવાડા સહિતની સંસ્થા અને તેમના સભ્યો પણ ઉત્સાહ સાથે જોડાયા હતા.
જેસીઆઇ વલસાડના પ્રેસિડેન્ટ જેસી સંદીપ ઠાકોરે વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન સોનલબેન સોલંકી, નગરપાલિકાના પ્રમુખ કિન્નરી પટેલ, સિટી પી.આઈ દીપકભાઈ ઢોલ અને વલસાડના નગરજનોનું સ્વાગત કર્યું હતું. જેસી હિતેન દેસાઈએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. જેસી વિભા દેસાઈએ ભારતમાતાનો વેશ ધારણ કરી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમના પ્રોજેક્ટ ડાયરેક્ટર જેસી ડૉ. શ્રીકાંત કનોજીયા, જેસી જિજ્ઞેશ પટેલ, જેસી રાહુલ મિસ્ત્રી તથા દરેક સભ્યોના સહકારથી કાર્યક્રમ સફળ બન્યો હતો.

Related posts

ચીખલીને નગરપાલિકા બનાવવાની વર્ષો જૂની માંગ: નજીકના દિવસોમાં ચીખલી નગરપાલિકા જાહેર થવાની અટકળોએ જોર પકડયું

vartmanpravah

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

vartmanpravah

વલસાડ જિલ્લાના વેલવાચ, મનાઈચોંઢી અને તિસ્કરી તલાટના 66 કેવી સબ સ્ટેશનનું ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ- લોકાર્પણ કરાયું 

vartmanpravah

ગુજરાત બોડી બિલ્‍ડર્સ એસોસિએશનના ઉપક્રમે દાનહઃ ડોકમરડી સ્‍થિત ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજના સભાખંડમાં ગુજરાત બોડી બિલ્‍ડીંગ અને ફિટનેશ ઇવેન્‍ટ યોજાઈ

vartmanpravah

નીતિ આયોગના સીઈઓ અને જી-20 શેરપા અમિતાભ કાંતે NIFT દમણ ખાતે અંતિમ સેમેસ્‍ટરના વિદ્યાર્થીઓને પરીક્ષાના ભાગરૂપે પ્રદર્શિત ડિઝાઈન સ્‍થાપન ઉપર આપેલું મનનીય વક્‍તવ્‍ય

vartmanpravah

વલસાડ હાઈવે રોલા ગામે યોજાયેલ બાઈકર્સ ઈવેન્‍ટ ભારે પડયો, જોખમી સ્‍ટંટ કરનારાઓ સામે ગુનો નોંધાયો

vartmanpravah

Leave a Comment