છેલ્લા 15 વર્ષથી માહેશ્વરી સેવા સમિતિ રક્તદાન કેમ્પનું આયોજન કરે છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: વાપી, સેલવાસ, દમણમાં સંચાલીત માહેશ્વરી સેવા સમિતિ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન ચલા માહેશ્વરી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 400 બોટલ રક્તનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.
માહેશ્વરી સેવા સમિતિ વર્ષ દરમિયાન અનેક સામાજીક કાર્યો કરે છે તે અંતર્ગત છેલ્લા 15 વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે રક્તદાન કેમ્પમાં 287 યુનિટ રક્તદાન થયું હતું. માહેશ્વરી યોગા ઉત્પત્તિ દિને ખાસ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. તેમાં રાજસ્થાન માહેશ્વરી મહિલા મંડળ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમિતિના સેક્રેટરી રામસ્વરૂપ લઢ્ઢા અને પ્રોજેક્ટ ચેરમેન પુષ્કળજી મળીયાર અને ટીમે રક્તદાન કેમ્પ સફળ બનાવવા સરાહનીય જહેમત ઉઠાવી હતી.