Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીવલસાડ

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેનાં હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદીના જૂના પુલ બંધ કરી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.18: ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેનાં હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદીના જૂના પુલ બંધ કરી દેવાતા વાહન વ્‍યવહારને અસર થવા સાથે અકસ્‍માત સર્જાવાની ભીતિ સર્જાતા હાઈવે ઓથોરિટીનાં રેઢિયાળ કારભારને પગલે વાહન ચાલકોમાં ભારે રોષ ઊભો થવા પામ્‍યો છે. છેલ્લા કેટલાક સમયથી હાઈવે તંત્રનો કારભાર કથળી જવા પામ્‍યો છે અને હાઈવે પર ઠેકઠેકાણે મસમોટા પડેલા ખાડાઓ સમયસર ન પૂરી યોગ્‍ય મરામત પણ કરવામાં આવતી નથી અને જેને પગલે અવાર નવાર નાના મોટા અકસ્‍માતો પણ સર્જાઈ રહ્યા છે.
હાઈવે ઓથોરિટીનાં બેદરકારીભર્યા વહીવટ વચ્‍ચે હોન્‍ડ અને બલવાડા સ્‍થિત કાવેરી અને ખરેરા નદી પુલ પર વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થા અભાવે આ બન્ને પુલો પર મસમોટા ખાડાઓ પડતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે ત્‍યારે હાઈવે ઓથોરિટી દ્વારા આ બન્ને પુલો પર વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થા કરી મરામતની નક્કર કામગીરી કરવાના સાથે પુલના છેડે લોખંડના પતરા મારી આડસ ઊભી કરીને આ બન્ને જૂના પુલોનો વાહન વ્‍યવહાર માટે બંધ કરી દેવામાં આવ્‍યા છે.

Related posts

ઉમરગામ તાલુકામાં બે અલગ અલગ સ્‍થળે ઝાડ પડવાની બનેલી ઘટનામાં થયેલો આબાદ બચાવ

vartmanpravah

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

વડાપ્રધાનના રાષ્‍ટ્રીય બાળ પુરસ્‍કાર માટે ગુણવાન અને બહાદુર બાળકોનું નામાંકન શરૂ

vartmanpravah

દાનહના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે સરકારની યોજના અંતર્ગત એફસીઆઈ દ્વારા કેવી રીતે અને કયાંથી અનાજ લાવી અલગ અલગ રાજ્‍યમાં લોકોને અનાજનું વિતરણ કરવામા આવે તે સંદર્ભે જાણકારી અપાઈ

vartmanpravah

સૈલ્‍યુટ તિરંગા રાષ્‍ટ્રવાદી સંગઠન દ્વારા 16 અને 17 સપ્‍ટેમ્‍બરે ગંગા આરતી કાર્યક્રમ યોજાશે

vartmanpravah

સાંઈયુગ ગ્રુપ ઉમરગામ દ્વારા કામળી સમાજની ક્રિકેટ ટૂર્નામેન્‍ટનુ કરવામાં આવેલું ભવ્‍ય આયોજન

vartmanpravah

Leave a Comment