March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણની વધુ ત્રણ પંચાયતોએ વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં આપેલો ટેકો

  • દાનહ અને દમણ-દીવના વીજળી ખાનગીકરણને રોકવાના અભિયાનને કડૈયા, ભીમપોર અને કચીગામ પંચાયતેપણ આપેલું સમર્થન

  • કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ પટેલે ખાનગીકરણ અટકાવવા ચાર પત્રકારો દ્વારા રચાયેલી સમિતિને આપેલું સમર્થન પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12
દાનહ અને દમણ-દીવના કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણના નિર્ણયને રોકવા માટે પ્રદેશના ચાર પત્રકારો દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનને આજે દમણની વધુ ત્રણ ગ્રામ પંચાયતોએ સમર્થન આપ્‍યું છે.
જેમાં દમણના કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલ અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પોતપોતાના વિસ્‍તારના લોકો વતી ભારત સરકારને અપીલ કરી છે કે નફા રળી આપતું વીજ વિભાગ/નિગમનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે પરંતુ આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવાની જરૂર છે.
આ સાથે કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પણ ખાનગીકરણ અટકાવવા પત્રકારો દ્વારા ચલાવવામાં આવી રહેલી અભિયાનને સમર્થનઆપતો પત્ર આપ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે અત્‍યાર સુધીમાં દમણની કુલ 10 ગ્રામ પંચાયતો દ્વારા ભારત સરકારને પુનર્વિચાર માટે અપીલ કરવામાં આવી છે.

Related posts

કેબિનેટ મંત્રીમનસુખભાઈ માંડવીયાએ VGELની મુલાકાત લઈ પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા અંગે જાણકારી મેળવી

vartmanpravah

વલસાડમાં આંદોલનમાં માજી સૈનિક નિધન સંદર્ભે આમ આદમી પાર્ટીએ કલેક્‍ટરને આવેદન પાઠવ્‍યું

vartmanpravah

રાજ્યમાં સૌપ્રથમ વલસાડ જિલ્લામાં ચૂંટણીના મેનેજમેન્ટ માટે વલસાડ ડીઈઓ એપ જિલ્લા ચૂંટણી અધિકારીક્ષિપ્રા આગ્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરાઈ

vartmanpravah

આદિવાસી ગૌરવ દિવસ અંતર્ગત આદિવાસીઓના નાયક બિરસા મુંડાની વિદ્યાર્થીઓને માહિતી અપાઈ

vartmanpravah

ઘેલવાડ ગ્રા.પં.માં સરપંચ હિતાક્ષીબેન પટેલના નેતૃત્‍વમાં દુકાનદારોને આપવામાં આવેલી સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ અંગે જાણકારી

vartmanpravah

ટ્રાફિક ભંગની આકરી કિંમત ભોગવતો અકસ્‍માત બાદ કાર નહીં હટાવતા સર્જાયેલો ત્રિપ્‍પલ અકસ્‍માતઃ કાર મેઈન હાઈવે પર મૂકી બન્ને ચાલકો નુકસાન બાબતે ઝઘડી રહ્યા હતા

vartmanpravah

Leave a Comment