Vartman Pravah
Breaking Newsદમણ

દમણની વધુ ત્રણ પંચાયતોએ વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં આપેલો ટેકો

  • દાનહ અને દમણ-દીવના વીજળી ખાનગીકરણને રોકવાના અભિયાનને કડૈયા, ભીમપોર અને કચીગામ પંચાયતેપણ આપેલું સમર્થન

  • કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ પટેલે ખાનગીકરણ અટકાવવા ચાર પત્રકારો દ્વારા રચાયેલી સમિતિને આપેલું સમર્થન પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12
દાનહ અને દમણ-દીવના કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વીજળી વિભાગ/નિગમના ખાનગીકરણના નિર્ણયને રોકવા માટે પ્રદેશના ચાર પત્રકારો દ્વારા ચલાવવામાં આવી રહેલા અભિયાનને આજે દમણની વધુ ત્રણ ગ્રામ પંચાયતોએ સમર્થન આપ્‍યું છે.
જેમાં દમણના કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શાંતુભાઈ પટેલ અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પોતપોતાના વિસ્‍તારના લોકો વતી ભારત સરકારને અપીલ કરી છે કે નફા રળી આપતું વીજ વિભાગ/નિગમનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે પરંતુ આ નિર્ણય ઉપર પુનઃ વિચારણા કરવાની જરૂર છે.
આ સાથે કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ, ભીમપોર ગ્રામ પંચાયતના સરપંચ શાંતુભાઈ પટેલ અને કચીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભરતભાઈ પટેલે પણ ખાનગીકરણ અટકાવવા પત્રકારો દ્વારા ચલાવવામાં આવી રહેલી અભિયાનને સમર્થનઆપતો પત્ર આપ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે અત્‍યાર સુધીમાં દમણની કુલ 10 ગ્રામ પંચાયતો દ્વારા ભારત સરકારને પુનર્વિચાર માટે અપીલ કરવામાં આવી છે.

Related posts

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં સચિવ અને દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રા.પં.ની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની માતાઓને આપેલું માર્ગદર્શન

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 22મી મે, રવિવારનાં રોજ કોવિડ-19 વેક્‍સિનેશન મેગા કેમ્‍પ યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લાનાં એજ્‍યુકેશનલ ઈનોવેશન ફેસ્‍ટિવલમાં દેગામ પ્રાથમિક શાળાનાં શિક્ષક અશ્વિન ટંડેલની ઝળહળતી સિદ્ધિ

vartmanpravah

શનિ અને રવિવારની રજામાં પણ સંઘપ્રદેશનું દોડતું તંત્રઃ પ્રશાસકશ્રીએ દમણ અને સેલવાસમાં કાર્યાન્‍વિત વિવિધ પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દાનહમાં બી.એસ.સી. અને નર્સિંગ કોલેજમાં એડમિશન નહીં મળતાં વિદ્યાર્થીનીઓએ કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી પદેથી વિવેક દાઢકરની છુટ્ટીઃ અંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહની સોંપેલી જવાબદારી

vartmanpravah

Leave a Comment