April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી યુવા કોંગ્રેસએ વોર્ડ નં.8 નાઝાબાઈ રોડના નવિન આર.સી.સી. રોડની મંથરગતિ કામગીરી અંગે આવેદન પાઠવ્‍યું

કોન્‍ટ્રાક્‍ટર દ્વારા એક વર્ષનો સમય વિતી જવા છતાં કામગીરી પૂર્ણ કરાઈ નથી તેથી બ્‍લેકલીસ્‍ટ કરવાની માંગણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.15: વાપી પાલિકા હદ વિસ્‍તારમાં આવેલ વોર્ડ નં.8 નાઝાબાઈ રોડ શાકભાજી માર્કેટમાં નવો આર.સી.સી. રોડ બનાવવાની કામગીરી પાલિકા દ્વારા શરૂ કરાઈ હતી પરંતુ એક વર્ષ ઉપરાંતનો સમય વિતી જવા છતાં કામગીરી અધુરી ઠેર ના ઠેર રહી છે તેથી વાપી યુવા કોંગ્રેસએ ગતરોજ પાલિકા ચીફ ઓફિરને આવેદનપત્ર પાઠવ્‍યું હતું.
આવેદનપત્ર મુજબ પાલિકા વોર્ડનં.8 નાઝાબાઈ રોડ શાકભાજી માર્કેટમાં નવિન આર.સી.સી. રોડ બનાવવા માટે પાલિકાએ ત્રણ માસની મર્યાદામાં રોડ બનાવવાનો ઠેકેદારને કોન્‍ટ્રાક્‍ટ આપ્‍યો હતો. જેની સમય અવધી પૂર્ણ થઈ ચૂકી છે. જ્‍યાં ત્‍યાં ખાડાઓ ખોદી રાખી એક વર્ષ વિતવા છતાં રોડની કામગીરી પૂર્ણ થઈ શકી નથી. સ્‍થાનિક જનતા અને શાકભાજી માર્કેટના વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે તેથી ઠેકેદારને બ્‍લેક લીસ્‍ટ કરવાની યુથ કોંગ્રેસે માંગણી કરી છે. તેમજ રોડ જલ્‍દી પુરો થાય તેવી તજવીજ હાથ ધરવી જોઈએ. આવેદનપત્ર યુથ કોંગ્રેસ પ્રમુખ વરુણસિંગ ઠાકુર, પાલિકા વિરોધપક્ષના નેતા ખંડુભાઈ પટેલ અને શાકભાજીના વેપારીઓની ઉપસ્‍થિતિમાં સી.ઓ.ને સુપરત કરાયુ હતું. ઉલ્લેખનીય છે કે, આ વોર્ડ પાલિકાના ઉપ પ્રમુખનો વિસ્‍તાર હોવા છતાં દિવા તળે અંધારુ જોવા મળેલ છે.

Related posts

સેલવાસ ન.પા. કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે મોરખલની મહિલાના આત્‍મહત્‍યા કેસમાં તેમના પરિવારને ન્‍યાય અપાવવા એસ.પી.ને કરેલી રજૂઆત

vartmanpravah

સેલવાસમાં છત્રપતિ શિવાજી મહારાજનું અશ્વારોહણ પૂતળું સ્‍થાપિત થશેઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે ચીખલી તાલુકામાં રૂા.14.74 કરોડ અને વાંસદા તાલુકાના ગામોમાં રૂા.4.49 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

ચીખલી તાલુકાની ગ્રામ પંચાયતોમાં બે દિવસથી સર્વર ધીમું ચાલતા લોકોને પડી રહેલી હાલાકી

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસે દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપે આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

44મી ચેસ ઓલિમ્‍પિયાડ મશાલ રીલેનું દમણમાં કરાયેલું ભવ્‍ય સ્‍વાગત મોબાઈલમાં માહિતી મળશે પરંતુ તંદુરસ્‍તી તો ખેલના મેદાનમાં જ મળશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment