March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડની મળેલી બેઠકમાં દમણ-દીવના માછીમારોની સમસ્‍યાની સભ્‍ય મનિષ ટંડેલે કરેલી વિસ્‍તૃત રજૂઆત

દમણ-દીવના માછીમારોની લાગણીથી કેન્‍દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાને અવગત પણ કરાયા, પાઠવેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: આજે દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસરમાં કેન્‍દ્રીય પશુપાલન ડેરી અને મત્‍સ્‍યપાલન વિભાગના કેબિનેટ મંત્રી અને રાષ્‍ટ્રીય પશુપાલન અને ડેરી તથા રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડના ચેરમેન શ્રી પુરષોત્તમભાઈ રૂપાલાની અધ્‍યક્ષતામાં મળેલ બેઠકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના સભ્‍ય શ્રી મનિષભાઈ બાબુભાઈ ટંડેલે પણ ભાગ લીધો હતો.
આ બેઠકમાં સંબંધિત વિભાગના દરેક મંત્રીઓ, સચિવો અને મત્‍સ્‍ય વિભાગના કમિશ્નર પણ ઉપસ્‍થિત રહ્યા હતા. રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર અને 15 સભ્‍યોની ટીમે પણ ભાગ લીધો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના સભ્‍ય શ્રી મનિષભાઈ બાબુભાઈ ટંડેલે દમણ-દીવના માછીમારોની સમસ્‍યા અને વિવિધ માંગણીઓ આજની બોર્ડ મીટિંગમાં રજૂ કરી હતી. તેમણે રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના ચેરમેન શ્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રત્‍યક્ષ મુલાકાત કરી તેમને દમણ-દીવના માછીમારોની સમસ્‍યાથી પણ માહિતગાર કર્યા હતા અને આ સંદર્ભમાં એકઆવેદનપત્ર પણ પાઠવ્‍યું હતું.

Related posts

મોટી દમણના જંપોર ખાતે જ્ઞાનધારા શિક્ષા પ્રચારક પરિવાર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું

vartmanpravah

કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે પાયલોટ પ્રોજેક્‍ટ તરીકે વાપીથી રાજ્‍યના 12 જીએસટી સેવા કેન્‍દ્રનું ઈ-લોકાર્પણ કરાયું

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

વલસાડ સિવિલની ગંભીર લાપરવાહી સામે આવીઃ આહવા અકસ્‍માતનો દર્દી કલાકો સુધી પીડામાં કણસતો રહ્યો

vartmanpravah

રેડક્રોસ વાપી તાલુકા બ્રાન્‍ચ દ્વારા સરીગામ ઈન્‍ડ. એસોસિએશનમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment