April 25, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડની મળેલી બેઠકમાં દમણ-દીવના માછીમારોની સમસ્‍યાની સભ્‍ય મનિષ ટંડેલે કરેલી વિસ્‍તૃત રજૂઆત

દમણ-દીવના માછીમારોની લાગણીથી કેન્‍દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાને અવગત પણ કરાયા, પાઠવેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: આજે દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસરમાં કેન્‍દ્રીય પશુપાલન ડેરી અને મત્‍સ્‍યપાલન વિભાગના કેબિનેટ મંત્રી અને રાષ્‍ટ્રીય પશુપાલન અને ડેરી તથા રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડના ચેરમેન શ્રી પુરષોત્તમભાઈ રૂપાલાની અધ્‍યક્ષતામાં મળેલ બેઠકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના સભ્‍ય શ્રી મનિષભાઈ બાબુભાઈ ટંડેલે પણ ભાગ લીધો હતો.
આ બેઠકમાં સંબંધિત વિભાગના દરેક મંત્રીઓ, સચિવો અને મત્‍સ્‍ય વિભાગના કમિશ્નર પણ ઉપસ્‍થિત રહ્યા હતા. રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર અને 15 સભ્‍યોની ટીમે પણ ભાગ લીધો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના સભ્‍ય શ્રી મનિષભાઈ બાબુભાઈ ટંડેલે દમણ-દીવના માછીમારોની સમસ્‍યા અને વિવિધ માંગણીઓ આજની બોર્ડ મીટિંગમાં રજૂ કરી હતી. તેમણે રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના ચેરમેન શ્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રત્‍યક્ષ મુલાકાત કરી તેમને દમણ-દીવના માછીમારોની સમસ્‍યાથી પણ માહિતગાર કર્યા હતા અને આ સંદર્ભમાં એકઆવેદનપત્ર પણ પાઠવ્‍યું હતું.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ મુંબઈની સુપ્રસિદ્ધ કોકિલાબેન હોસ્‍પિટલમાં શ્રી વિનોબા ભાવે અને દમણની નર્સિંગ કોલેજના 100 ટકા વિદ્યાર્થીઓને મળેલું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા-સ્‍મૃતિ દિવસ’ નિમિતે મૌન રેલી યોજાઈ

vartmanpravah

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટને સંઘપ્રદેશ ભાજપે વિકાસલક્ષી ગણાવ્‍યું

vartmanpravah

દમણના કચીગામ ખાતે ધ ગ્‍લો બ્‍યુટી એન્‍ડ કોસ્‍મેટિક સેન્‍ટરનું ભાજપના મહિલા નેતા તરૂણાબેન પટેલ અને યુવા નેતા ગૌરાંગ પટેલે કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment