Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડ

દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડની મળેલી બેઠકમાં દમણ-દીવના માછીમારોની સમસ્‍યાની સભ્‍ય મનિષ ટંડેલે કરેલી વિસ્‍તૃત રજૂઆત

દમણ-દીવના માછીમારોની લાગણીથી કેન્‍દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલાને અવગત પણ કરાયા, પાઠવેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: આજે દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય કૃષિ વિજ્ઞાન પરિસરમાં કેન્‍દ્રીય પશુપાલન ડેરી અને મત્‍સ્‍યપાલન વિભાગના કેબિનેટ મંત્રી અને રાષ્‍ટ્રીય પશુપાલન અને ડેરી તથા રાષ્‍ટ્રીય ફિશરીઝ બોર્ડના ચેરમેન શ્રી પુરષોત્તમભાઈ રૂપાલાની અધ્‍યક્ષતામાં મળેલ બેઠકમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના સભ્‍ય શ્રી મનિષભાઈ બાબુભાઈ ટંડેલે પણ ભાગ લીધો હતો.
આ બેઠકમાં સંબંધિત વિભાગના દરેક મંત્રીઓ, સચિવો અને મત્‍સ્‍ય વિભાગના કમિશ્નર પણ ઉપસ્‍થિત રહ્યા હતા. રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના ચીફ એક્‍ઝિક્‍યુટિવ ઓફિસર અને 15 સભ્‍યોની ટીમે પણ ભાગ લીધો હતો.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના સભ્‍ય શ્રી મનિષભાઈ બાબુભાઈ ટંડેલે દમણ-દીવના માછીમારોની સમસ્‍યા અને વિવિધ માંગણીઓ આજની બોર્ડ મીટિંગમાં રજૂ કરી હતી. તેમણે રાષ્‍ટ્રીય મત્‍સ્‍ય વિકાસ બોર્ડના ચેરમેન શ્રી પરષોત્તમભાઈ રૂપાલાની પ્રત્‍યક્ષ મુલાકાત કરી તેમને દમણ-દીવના માછીમારોની સમસ્‍યાથી પણ માહિતગાર કર્યા હતા અને આ સંદર્ભમાં એકઆવેદનપત્ર પણ પાઠવ્‍યું હતું.

Related posts

દીવ બ્રહ્માકુમારીઝ દ્વારા આઈ.ટી.આઈ. કેમ્‍પસમાં રક્ષાબંધન અને આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

વલસાડ અને ધરમપુરમાં કિસાન દિવસ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ : 233 ખેડૂતોએ લાભ લીધો

vartmanpravah

દાનહમાં શિવસેના દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી ઉજવવામાં આવી

vartmanpravah

નવસારી જેસીઆઈ દ્વારા રંગોળી સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કરચોંડના પતિ-પત્‍ની નદીમાં તણાતાં એનડીઆરએફની ટીમે હાથ ધરેલી શોધખોળ

vartmanpravah

દાનહમાં ત્રણ ઇંચથી વધુ વરસાદઃ શાકભાજીના પાકને નુકસાન

vartmanpravah

Leave a Comment