April 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીવલસાડસેલવાસ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની યોજાયેલી સેનેટ ચૂંટણીમાં પ્રેફરન્‍શિયલ પ્રક્રિયા સામે ઉઠેલો વિરોધનો સૂર

શિક્ષક સંવર્ગની બે બેઠકો માટેની ચૂંટણીમાં પહેલાં નંબરે સૌથી વધુ એકડા એટલે કે 133 મતો મેળવનાર મનિષભાઈ પટેલ વિજેતા જાહેર થયા પરંતુ બીજા ક્રમે એકડાના 97 મતો મળવા છતાંત્રીજા સ્‍થાને 93 એકડા મેળવનાર રસિકભાઈ ઝાંઝમેરા બગડાના જોરે જાહેર થયેલા વિજેતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
સુરત, તા.18: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતની વિવિધ સંવર્ગની સેનેટની યોજાયેલ ચૂંટણીનું પરિણામ ગત મંગળવાર તા.16મી ઓગસ્‍ટના રોજ આવ્‍યું હતું. જેમાં મત ગણતરી પ્રેફરન્‍શિયલ હોવાથી એકથી વધુ બેઠક વાળી સીટ ઉપર એકડા વધારે હોવા છતાં કેટલાક ઉમેદવારોને હારનો સામનો કરવા પડયો હતો. જેમાં શિક્ષક સંવર્ગની બે બેઠકો માટેની ચૂંટણીમાં પહેલાં નંબરે સૌથી વધુ એકડાના 133 મતો પ્રાપ્ત કરનાર શ્રી મનિષભાઈ પટેલ વિજેતા થયા હતા. બીજા ક્રમે એકડાના 97 મતો પ્રાપ્ત થવા છતાં ત્રીજા ક્રમાંકે આવેલ શ્રી રસિકભાઈ ઝાંઝમેરાને માત્ર 93 એકડા મળવા છતાં એમને મળેલા બગડાના જોરે તેમને વિજેતા જાહેર કરાયા હતા.
આ બાબતે શિક્ષક સંવર્ગની બેઠકમાં 97 મતો મેળવી બીજા સ્‍થાને આવવા છતાં પરાજીત થનારા શ્રી અશોકકુમાર સોલંકીનો પ્રતિભાવ પૂછતાં તેમણે જણાવ્‍યું હતું કે, પ્રેફરન્‍શિયલ મત પ્રક્રિયાની જગ્‍યાએ સાદી અને સરળ પ્રક્રિયા રાખવી જોઈએ, જેના કારણે જેમને વધુ સમર્થન મળે તેઓ વિજેતા જાહેર થઈ શકે.

Related posts

ચીખલી પંથકમાં મોડી રાત્રે ત્રણ જેટલા ચડ્ડી બનીયાન ધારી તસ્‍કરો ત્રાટકયા

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણી તટસ્‍થ પારદર્શક ન્‍યાયી અને ભયમુક્‍ત રીતે યોજવા ચૂંટણી તંત્રની કવાયત તેજ

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

દાનહના સ્‍વ. સાંસદ મોહનભાઈ ડેલકરે જનતા દળ(યુ) સાથે જોડાણની કરેલી જાહેરાતનું એક વર્ષપૂર્ણ

vartmanpravah

કોરોનાની ત્રીજી લહેર પૂર્વે મહારાષ્ટ્ર ભિલાડ સહિત ચાર બોર્ડર ઉપર આરોગ્ય વિભાગનું ચેકીંગ અભિયાન

vartmanpravah

ધરમપુરના ખડકીમધુરી ગામમાં મરઘાનો શિકારકરવા જતા કદાવર દિપડી કુવામાં ખાબકી

vartmanpravah

Leave a Comment