Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીવલસાડસેલવાસ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતની યોજાયેલી સેનેટ ચૂંટણીમાં પ્રેફરન્‍શિયલ પ્રક્રિયા સામે ઉઠેલો વિરોધનો સૂર

શિક્ષક સંવર્ગની બે બેઠકો માટેની ચૂંટણીમાં પહેલાં નંબરે સૌથી વધુ એકડા એટલે કે 133 મતો મેળવનાર મનિષભાઈ પટેલ વિજેતા જાહેર થયા પરંતુ બીજા ક્રમે એકડાના 97 મતો મળવા છતાંત્રીજા સ્‍થાને 93 એકડા મેળવનાર રસિકભાઈ ઝાંઝમેરા બગડાના જોરે જાહેર થયેલા વિજેતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
સુરત, તા.18: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતની વિવિધ સંવર્ગની સેનેટની યોજાયેલ ચૂંટણીનું પરિણામ ગત મંગળવાર તા.16મી ઓગસ્‍ટના રોજ આવ્‍યું હતું. જેમાં મત ગણતરી પ્રેફરન્‍શિયલ હોવાથી એકથી વધુ બેઠક વાળી સીટ ઉપર એકડા વધારે હોવા છતાં કેટલાક ઉમેદવારોને હારનો સામનો કરવા પડયો હતો. જેમાં શિક્ષક સંવર્ગની બે બેઠકો માટેની ચૂંટણીમાં પહેલાં નંબરે સૌથી વધુ એકડાના 133 મતો પ્રાપ્ત કરનાર શ્રી મનિષભાઈ પટેલ વિજેતા થયા હતા. બીજા ક્રમે એકડાના 97 મતો પ્રાપ્ત થવા છતાં ત્રીજા ક્રમાંકે આવેલ શ્રી રસિકભાઈ ઝાંઝમેરાને માત્ર 93 એકડા મળવા છતાં એમને મળેલા બગડાના જોરે તેમને વિજેતા જાહેર કરાયા હતા.
આ બાબતે શિક્ષક સંવર્ગની બેઠકમાં 97 મતો મેળવી બીજા સ્‍થાને આવવા છતાં પરાજીત થનારા શ્રી અશોકકુમાર સોલંકીનો પ્રતિભાવ પૂછતાં તેમણે જણાવ્‍યું હતું કે, પ્રેફરન્‍શિયલ મત પ્રક્રિયાની જગ્‍યાએ સાદી અને સરળ પ્રક્રિયા રાખવી જોઈએ, જેના કારણે જેમને વધુ સમર્થન મળે તેઓ વિજેતા જાહેર થઈ શકે.

Related posts

વલસાડ કોમર્સ કોલેજની વિદ્યાર્થીની હોકી નેશનલ ચેમ્‍પિયનશીપમાં પસંદગી

vartmanpravah

દમણની ‘NIFT’નું ‘કન્‍વર્જ-2023’માં શાનદાર પ્રદર્શનઃ મળેલો પ્રતિષ્‍ઠિત જ્‍યુરી એવોર્ડ

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍ય તરીકે ફાલ્‍ગુનીબેન પટેલનું એક વર્ષ પૂર્ણ : એક વર્ષના કાર્યકાળમાં મહિલાઓને સ્‍વનિર્ભર બનાવવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

સેલવાસનો યુવાન નદીમા ન્‍હાવા જતા ડુબી જતા મોત (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.31 સેલવાસનો યુવાન એના મિત્રો સાથે દમણગંગા નદીમા ન્‍હાવા ગયો હતો. તે સમયે ડુબી જતા એનું મોત થયુ હતુ. પ્રાપ્ત વિગત અનુસાર શ્રી અજય પંકજ શર્મા ઉ.વ.22 રહેવાસી પાતલિયા ફળિયા જે બપોરના સમયે ગરમી હોવાને કારણે એના મિત્રો સાથે સર્કીટ હાઉસની આગળ દમણગંગા નદીમાં નહાવા માટે એના મિત્રો સાથે નીકળ્‍યો હતો. પરંતુ તે એના મિત્રો કરતા આગળ જ નદી કિનારે પોહચી ગયો હતો અનેનદીમાં કુદી પડયો હતો. પાછળ આવેલ એમના મિત્રોએ એને નદીમા ડુબતો જોઈને તેઓ પણ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ બચી શકયો ના હતો. આ ઘટના અંગે ફાયર વિભાગ અને પોલીસની ટીમને જાણ કરતા તાત્‍કાલિક ઘટના સ્‍થળે પહોંચી હતી અને ફાયરવિભાગની ટીમે અજયની લાશને શોધી નદીમાંથી બહાર કાઢવામા આવ્‍યો હતો. ત્‍યારબાદ લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામા આવી હતી.

vartmanpravah

68મા મહા પરિનિર્વાણ દિન નિમિત્તે દમણવાડા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વંદનીય ભારત રત્‍ન ડો.બાબાસાહેબ આંબેડકરને અપાયેલી પુષ્‍પાંજલિ

vartmanpravah

દાનહ-દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

Leave a Comment