July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સિવિલની ગંભીર લાપરવાહી સામે આવીઃ આહવા અકસ્‍માતનો દર્દી કલાકો સુધી પીડામાં કણસતો રહ્યો

રાત્રી દરમિયાન સિવિલ રેઢીયાળ બની જાય છે, રોજેરોજ વ્‍યાપક ફરિયાદ ઉઠી રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વલસાડ સિવિલ હોસ્‍પિટલની વારંવાર ગંભીર બેદરકારીઓ સામે આવી રહી છે. ગત રાત્રીમાં આહવામાં અકસ્‍માતમાં થયેલ યુવકની વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. યુવક દર્દી પીડામાં કલાકો સુધી બેડ ઉપર કણસતો રહ્યો પરંતુ સિવિલનો તબીબી સ્‍ટાફે યુવકની કોઈ સારવાર તો દૂર રહી પરંતુ નોંધ સુધ્‍ધાં નહોતી લીધી. તેથી સ્‍વજનો ખુબ રોષે ભરાયા હતા. સિવિલમાં રાત્રી દરમિયાન દરમિયાન કેવળ લાલીયાવાડી ચાલતી રહે છે તેવી અનેક ફરિયાદો ઉઠી રહી છે.
વલસાડ સિવિલ હોસ્‍પિટલ તો વહીવટ સરકારી તંત્ર છે તેવું અવાર નવાર જોવા મળે છે. રાત્રી દરમિયાન દર્દીની ઉપેક્ષા કરવામાં આવે છે. આહવાનો અકસ્‍માતમાં ઘાયલ થયેલ યુવક કલાકો સુધી બેડ ઉપર પીડાની બુમોપાડતો રહેલો, ડોક્‍ટર-નર્સ કે અન્‍ય કોઈ કર્મચારી ફરક્‍યા નહોતા તેથી પરિવારજનો ખુબ રોષે ભરાયા હતા. રાત્રી દરમિયાન આખુ તંત્ર રેઢીયાળ બની જાય છે. દૂર દૂર આવતા સેંકડો દર્દીઓને સારવાર માટે દાખલ કરાય છે પરંતુ આવેલ દર્દીઓના સગા-વહાલાને માટે રાત્રે સુવાની કે આરામ કરવાની કોઈ સગવડ નથી. લોકો જ્‍યાં ત્‍યાં ફર્સ ઉપર ભોંયતળીયે રાત ગુજારો કરતા હોવાના દૃશ્‍યો સિવિલમાં રોજના જોવા મળી રહ્યા છે.

Related posts

નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી અને ગુજરાત પ્રેદશ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સી.આર પાટીલના હસ્‍તે ખાતમુહૂર્ત

vartmanpravah

દાનહ બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત હવે ગમે તે ઘડીએ થઈ જશેઃ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah

વાપીમાં સંવિધાન દિવસની શાનદાર ઉજવણીઃ શણગારેલ રથ સાથે ડો.બાબાસાહેબ આંબેડકરની કાઢવામાં આવેલી રેલી

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024: કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાના ભાગરૂપે નરોલીમાં પોલીસ-બટાલિયનના જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

દીવના તડ ચેકપોસ્‍ટ પર બુટલેગરોને લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

Leave a Comment