Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

મોટી દમણના મગરવાડા ખાતે દૂધી માતાના મંદિરનો પટાંગણ પ.પૂ. ભરતભાઈ વ્‍યાસની શિવકથાથી શિવમય બન્‍યો: પ.પૂ. ભરતભાઈ વ્‍યાસે પંચાક્ષરી મંત્રી ‘ૐ નમઃ શિવાય’ના મંત્રનો સમજાવેલો મહિમા

દમણ જિ.પં.ની બાંધકામ શાખાના અધ્‍યક્ષ રીનાબેન પટેલ, પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના પ્રમુખ હરિશભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરપર્સન વર્ષિકાબેન પટેલ, કડૈયા ગ્રા.પં.ના સરપંચ શંકરભાઈ પટેલ સહિત અનેક લોકોએ લીધેલો શિવકથાનો લાભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.18: મોટી દમણ મગરવાડાના ભીમ તળાવની તળેટીએ આવેલા દૂધી માતાના મંદિરના પટાંગણમાં પ.પૂ.ભરતભાઈ વ્‍યાસની શિવકથાના આજે પાંચમા દિવસે તેમણે ૐ નમઃ શિવાયના મંત્રની આપેલી વ્‍યાખ્‍યાથી સમગ્ર ભક્‍તજનો મંત્રમુગ્‍ધ બન્‍યા હતા.
પ.પૂ.ભરતભાઈ વ્‍યાસે જણાવ્‍યું હતું કે, ભગવાન મહાદેવજીના પાંચ મુખ એ પાંચેય મુખમાંથી એક એક અક્ષર નિકળ્‍યો તેને પંચાક્ષર ૐ નમઃ શિવાય કહેવાય છે. ભગવાન શિવના નિનાદ ડમરૂમાંથી સંસારનો પહેલો શબ્‍દ અને અક્ષર ૐ નિકળ્‍યો જે ૐ નમઃ શિવાય બન્‍યો. નમઃ શિવાયનો ‘ન’ નરકમાંથી બચાવે છે અને નમ્ર બનાવે છે, ‘મ’ મૃત્‍યુના ભયને અને મમત્‍વને હટાવે, તદ્‌ઉરાંત મહાદેવનો મોક્ષ પ્રાપ્ત કરાયો છે. ‘શિ’મન અને હૃદયને શિતળતા આપે છે, ક્રોધને શાંત કરી મનને શિતળ બનાવી નાંખે છે. ‘વા’ વાણીને પવિત્ર કરે છે અને હાય હાય છોડાવીને હરિ હરિ ઉચ્‍ચારણ કરી કલ્‍યાણ કરી નાંખે છે. ‘ય’ અનેક યજ્ઞનું ફળ અપાવે છે અને યમરાજથી બચાવી શિવલોક પ્રાપ્ત કરાવે છે.
પ.પૂ.શ્રી ભરતભાઈ વ્‍યાસે ભગવાન મહાદેવના અર્ધનારેશ્વર, નંદી, કાચબો, શેષનાગ, જલધારા, ડમરૂ, ત્રિશૂળ વગેરેનું પણ શાષાોક્‍ત મહત્‍વ જણાવી શ્રોતાઓને શિવમય કરી દીધા હતા.
દમણ જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના ચેરપર્સન શ્રીમતી રીનાબેન પટેલ, પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી વર્ષિકાબેન પટેલ, કડૈયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી શંકરભાઈ પટેલ વગેરેએ પણ આજે શિવકથાનો લાભ લીધો હતો.

Related posts

વાપીમાં કચ્‍છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા ગરબાનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ જિલ્લા કોળી સમાજના પ્રમુખ ડો. નાનુભાઈ પટેલે 16 સમિતિઓના પ્રભારીઓની કરેલી નિમણૂક: કોળી પટેલ સમાજને એક અને નેક બની કામ કરવા આપેલી પ્રેરણા

vartmanpravah

નવસારી એલસીબીએ સરૈયાથી દારૂ ભરેલ જીપ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

અથાલથી ભિલાડ થઈ સુરત જઈ રહેલ પીઓપી બેગની આડમાં દારૂનો જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

સેલવાસન.પા. વિસ્‍તારમાં પાણીની લાઈનના સ્‍થળાંતરિત કાર્યના કારણે બે દિવસ પાણીનો પ્રવાહ ધીમો રહેશે

vartmanpravah

ચીખલીના ઘેકટી ગામે જૂની અદાવતમાં થયેલ વિવાદમાં પોલીસે એક સ્‍થાનિક શખ્‍સ વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

vartmanpravah

Leave a Comment