April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.21: દાદરા નગર હવેલી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આઈએસઆઈએ હોમગાર્ડ પાસે મોબાઈલ અને બાઈક છોડાવવા માટે લાંચની માંગણી કરી હતી જે સંદર્ભે હોમગાર્ડ દ્વારા સીબીઆઈને ટેલિફોનિક ફરિયાદ નોંધાવતા ચાર હજારની લાંચ લેતા સીબીઆઈની ટીમે ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર માંદોની ચોકીમાં ફરજ બજાવતા એએસઆઇ શંભુ પટેલને સીબીઆઈએ ગિરફતાર કરવામાં આવ્‍યા હતા. એએસઆઇએ આ લાંચ હોમગાર્ડ પાસે માંગી હતી. પાંચ મહિના પહેલા ટ્રાફિક પોલીસની એક ચલણ બુક ખોવાઈ ગઈ હતી જે સંદર્ભે બુક ખોવાઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેની તપાસ ટ્રાફિક ઈન્‍ચાર્જ આર.કે.ગાવિતે કરી હતી. ઘણાં વર્ષથી કાર્યરત હોમગાર્ડ કિરણ ખરાડે પર મામલો નાખી દીધો હતો. બાદમાં હોમગાર્ડ વિરુદ્ધ ગેમ્‍બલિંગનો કેસ દાખલ કરી એની બાઈક અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્‍યા હતા. કેટલાક દિવસ બાદ બાઈક અને મોબાઈલ છોડાવવા માટે કોર્ટનો આદેશ લઈને કિરણ ખરાડે ગયો તો માંદોનીના એએસઆઈ એસ.એમ.પટેલે બાઈક અને મોબાઈલ આપવામાટે દસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. હોમગાર્ડ તરીકે ઘણા વર્ષોથી ફરજ બજાવનાર કિરણને લાંચની વાત સાંભળતા જ હતપ્રભ થઈ ગયો હતો. જેથી કિરણે ફોન દ્વારા મુંબઈ સીબીઆઈની એન્‍ટી કરપ્‍સન ટીમને ફરિયાદ કરી હતી. ત્‍યારબાદ સીબીઆઈની ટીમે શુક્રવારના રોજ ટ્રેપ ગોઠવી હતી અને એએસઆઈ શંભુ પટેલને દસ હજારનો પહેલો હપ્તાના રૂપે ચાર હજાર રૂપિયાની લાંચ લેતા બસ સ્‍ટોપ સેલવાસ નજીકથી ધરપકડ કરવામાં આવ્‍યા બાદમાં એએસઆઇ શંભુ પટેલના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. જેમાં પણ એમની સંપત્તિઓ અંગે અને કેટલીક રોકડ રકમ મળી હોવાની જાણકારી મળી છે. એએસઆઇ શંભુ પટેલને કોર્ટમાં રજૂ કરતા 25 ઓગસ્‍ટ સુધી મેજિસ્‍ટ્રેટ કસ્‍ટડી આપવામાં આવ્‍યા છે.

Related posts

ઉમરગામ પોલીસ મથકે લોક દરબારનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્‍ચે ગેરકાયદેસર ઓઈલની હેરાફેરી કરનારાઓને ઝડપી પાડયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે દાનહમાં ભારત સ્કાઉટ ગાઈડના રાજ્ય સ્તરીય પાંચ દિવસીય રાષ્ટ્રપતિ પરીક્ષણ કેમ્પનો કરાવેલો શુભારંભ

vartmanpravah

નારિયેળી પૂર્ણિમા ઉત્‍સવ-2023 અંતર્ગત દમણ બાલ ભવન બોર્ડ દ્વારા 2 સપ્‍ટેમ્‍બરે ગાયન સ્‍પર્ધા અને 3 સપ્‍ટેમ્‍બર, 2023ના રોજ નૃત્‍ય સ્‍પર્ધાનું આયોજન નાની દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવશે

vartmanpravah

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

vartmanpravah

Leave a Comment