December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાત

પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવશે.

રાજકોટ, તા.28
પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા અવારનવાર વિવિધ સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરવા માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આમાંથી એક ‘આયુષ્માન ભારત યોજના’ છે. જે હવે ‘આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી યોજના’ તરીકે ઓળખાય છે. યોજના દ્વારા આયુષ્માન કાર્ડ બનાવવામાં આવે છે, જેના દ્વારા જેની પાસે આયુષ્માન કાર્ડ હોય તેવી વ્યક્તિ પસંદગીની હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. ઘણી વખત દર્દી નારાયણ અને દરિદ્ર નારાયણ પાસે આયુષ્યમાન કાર્ડની માહિતી નથી હોતી અથવા માહિતી હોય તો તેઓ કાર્ડ કઢાવવાની ફી ચૂકવી શકતા નથી આ માટે પાંચાણી ફાઉન્ડેશન દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવે છે. આ નિ:શુલ્ક આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પ સોમવારથી શનિવાર, સવારે 10 થી 12 વાગ્યા સુધી સુવર્ણભુમી એપાર્ટમેન્ટ, દુકાન નંબર . – ૦૬ બીજો માળ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે, નાનામોવા, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો છે. આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આવકનો દાખલો, આધાર કાર્ડની નકલ, રેશન કાર્ડની નકલ સાથે રાખવાની રહેશે. આ અંગે વિશેષ માહિતી માટે
યોગેશભાઈ પાંચાણી (મો. ૯૮૨૪૨ ૧૨૪૬૦ ) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related posts

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત દીવ રમત ગમત વિભાગ દ્વારા ત્રણ દિવસીય પ્રી-સુબ્રતો કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં કૃષ્‍ણ જન્‍માષ્ટમી કાર્યક્રમ ધામધુમપૂર્વક ઉજવાયો

vartmanpravah

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વલસાડ જિલ્લાની ઉડતી મુલાકાત લઈ જિલ્લા વહીવટીતંત્ર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી

vartmanpravah

મોપેડ સવાર દંપતીને પારડી સર્વિસ રોડ પર નડેલો અકસ્માતઃ પત્નીનું કરુણ મોત, પતિનો ચમત્કારિક બચાવ

vartmanpravah

વાપી નજીકના નાની તંબાડી ગામે કાર અડફેટે બાઈક આવી જતાં એકનું મોત : એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

વાપી બગવાડા ટોલનાકા નજીક વાપી તરફની લાઈન ઉપર પડેલા ખાડા અને તૂટેલા રોડ અંગે ઉચ્‍ચ રજૂઆત

vartmanpravah

Leave a Comment