(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
પારડી, તા.26
અટલ બિહારી વાજપેયીજી હજુ પણ યુવાનોના પ્રિય અને એમના કર્યો થકી માર્ગદશન મેળવતા યુવાનો અલગ અલગ રીતે સમાજ ઉપયોગી કાર્ય કરી એમના જન્મ દિવસને યાદગાર બનાવી આવા યુવાનો સમાજમાં એક અલગ ઓળખ ઉભી કરતા હોય છે. ભારતરત્ન અટલબિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવક શ્રી સંજયભાઈ બારિયાએ 104 મી વખત રક્તદાનકર્યું એમની સાથે અલી અન્સારી અને બીજા છ લોકોએ પણ સ્વેચ્છાએ રક્તદાન કર્યું હતું.