October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

રોટરી ક્‍લબ દાદરા નગર હવેલીનો યોજાયો પદગ્રહણસમારોહ પ્રમુખ તરીકે મિલનભાઈ પટેલની વરણીઃ મેઘાવીન પરમારને સોંપાયેલી સેક્રેટરીની જવાબદારીઃ કોષાધ્‍યક્ષ પદે વિરલસિંહ રાજપુતની નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: આજે સેલવાસ ખાતે રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીના 11મા પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રોટરી ડીસ્‍ટ્રીકટ 3060ના ગવર્નર શ્રી નિહીર દવેએ નવા અધ્‍યક્ષ અને તેમની ટીમને વિધિવત પદના શપથ લેવડાવ્‍યા હતા અને તેમને પદભાર સોંપ્‍યો હતો. ગેસ્‍ટ ઓફ ઓનર રોટરી આંખ હોસ્‍પિટલ નવસારીના સેક્રેટરી શ્રી યોગેશભાઈ નાયક તેમજ ડીસ્‍ટ્રીક્‍ટના પ્રથમ મહિલા તરીકે શ્રીમતી વૈશાલીબેન દવે આ સમારોહમાં ઉપસ્‍થિત રહ્યા હતા. રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીના તત્‍કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઈ પટેલે એમના કાર્યકાળ દરમ્‍યાન ખુબજ સારા કાર્યો કર્યા હતા તેની રૂપરેખા વર્ણવી હતી. આ અવસરે નવનિયુક્‍ત પ્રમુખ શ્રી મિલનભાઈ પટેલ અને ડીસ્‍ટ્રીકટ ગવર્નર શ્રી નિહીરભાઈ દવેએ જણાવ્‍યું હતું કે, વર્ષ 2023-24 દરમ્‍યાન વિવિધ ક્ષેત્રમાં કામગીરી કરવામાં આવશે. જેમ કે કુપોષણ, અંધત્‍વ, ડાયાબીટીશ કેમ્‍પ, કેન્‍સર જાગૃતિ અભિયાન, સાક્ષરતા તથા સ્‍વચ્‍છતા જેવા મહત્‍વના કામો કરાશે. આ સમારોહમાં આસિસ્‍ટન્‍ટ ગવર્નર શ્રી અમિત કોઠારી, સાક્ષરતા મિશનના અધ્‍યક્ષ શ્રીનિલેશભાઈ શાહ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીના ખજાનચી તરીકે શ્રી વિરલસિંહ રાજપૂતની નિયુક્‍તિ કરવામાં આવી હતી જ્‍યારે બોર્ડ મેમ્‍બર તરીકે શ્રી યશવન્‍તસિંહ પરમાર, શ્રીમતી ઈશાની કૌર, શ્રી રાજુભાઈ પટેલ, શ્રી મહિપાલ સોલંકી તથા શ્રી મનોજ કોઠારીને સામેલ કરવામાં આવ્‍યા હતા.

Related posts

એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

ભાજપના સ્‍થાપના દિન નિમિત્તે વિશેષ

vartmanpravah

દમણઃ ‘જય અંબે થાણાપારડી યુવા મંડળ’ દ્વારા યોજાયેલી ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દલવાડાની ટીમ ફાઈનલમાં વિજેતા બની

vartmanpravah

ધરમપુરમાં મહિલા કલ્યાણ દિવસની ઉજવણી, 16 વિદ્યાર્થિનીઓને સન્માનિત કરાઈ

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અને ચૂંટણી પ્રભારી અશ્વિની વૈષ્‍ણવે કરાડ ખાતે કાર્યકર્તાઓ સાથે કરેલી ‘ચાય પે ચર્ચા’

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે ચૂંટાતા પોતાના રાજકીય ગુરૂ સ્‍વ.ડાહ્યાભાઈ પટેલનાઅલૌકિક આશીર્વાદ લેતા નવિનભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment