January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારી

શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઈડ સાયન્‍સીસ એન્‍ડપ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે ચીખલી કોલેજમાં મેગા રક્‍તદાન શિબિર યોજાઈ

વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓના ઉત્‍સાહથી 51યુનિટ એકત્ર કરેલું રક્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીલખી(વંકાલ),તા.22: ચીખલીના શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઇ.ઇ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઇડ સાયન્‍સીસ એન્‍ડ પ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે મેગા બ્‍લડ રક્‍તદાન શિબિરનું આયોજન લાયન્‍સ બ્‍લડ બેંકના સહયોગથી કરવામાં આવ્‍યું હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે શારદા ફાઉન્‍ડેશનના સ્‍થાપક શ્રી દર્શનભાઈ દેસાઈ, સહ સ્‍થાપક શ્રીમતી સોનલબેન દેસાઈ, આચાર્ય ડો.અશોકસિંહ સોલંકી, એમ.આર.દેસાઈ આર્ટસ એન્‍ડ ઇ.ઇ.એલ.કે.કોમર્સ કોલેજના આચાર્ય ડો. ફાલ્‍ગુનીબેન દેસાઈ તેમજ સ્‍ટાફ ઉપસ્‍થિત રહી રક્‍તદાતાઓનો ઉત્‍સાહ વધાર્યો હતો.
શારદા ફાઉન્‍ડેશનના સ્‍થાપક અને સંસ્‍થાના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી દર્શનભાઈ દેસાઈ અને પીઆઈપી.જી.ચૌધરીએ રક્‍તદાન કરી રક્‍તદાતાઓનો ઉત્‍સાહ વધાર્યો હતો. રક્‍તદાન એ મહાદાન છે. એવા વિશ્વાસથી દરેક વિદ્યાર્થીઓ તેમજ રક્‍તદાતાઓએ ચીખલી સમગ્ર વિસ્‍તારમાં રક્‍તદાન થકી સમાજ સેવા માટેની લાગણી વ્‍યક્‍ત કરી હતી.
મેગા રક્‍તદાન શિબિરમાં 51 યુનિટ રક્‍ત એકત્રકરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમની સફળતા માટે શારદા ફાઉન્‍ડેશન તેમજ ચીખલી કોલેજ પરિવાર દ્વારા ચીખલી બ્‍લડ બેંક, રક્‍તદાતાઓ, સ્‍વયં સેવકો અને વિદ્યાર્થીઓનો હૃદયથી આભાર માન્‍યો હતો.

Related posts

આજે દીવ 23 નેશનલ લો યુનિવર્સિટીના સંઘની જનરલ બોડી મીટિંગની યજમાનગીરી કરશે

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર” અભિયાન અંતર્ગત શનિવારે દેવકા અને જમ્‍પોર બીચ ખાતે માનવ મહેરામણ ઉમટશેઃ દમણના 15 કિ.મી.વિસ્‍તારમાં ફેલાયેલા દરિયા કિનારાની સફાઈ માટે બનનારી અલગ અલગ ટીમ

vartmanpravah

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

દાનહમાં મોપેડ ખરીદીમા બ્રોકર દ્વારા છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ

vartmanpravah

ધરમપુરના બામટીમાં હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડની જાહેર સભા બાદ સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી વડાપ્રધાન આજે રવિવારે સવારે સોમનાથ જવા રવાના

vartmanpravah

Leave a Comment