Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

અવસર છે લોકશાહીનો-ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨: ગુજરાતના અધિકારીઓને નવી દિલ્હીના IIIDEM ના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ અને ચૂંટણી પંચના નિષ્ણાતો દ્વારા તાલીમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૪: આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ની તૈયારીના ભાગરૂપે,ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૨૩મી ઓગસ્ટથી તા.૨૬મી ઓગસ્ટ,૨૦૨૨ દરમિયાન, ગુજરાતના ૧૮ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે સર્ટિફિકેશન પ્રોગ્રામ અંતર્ગત તાલીમ યોજવામાં આવી છે.
ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટેના સર્ટિફિકેશનના ચાર દિવસના સઘન તાલીમ કાર્યક્રમમાં નવી દિલ્હીના IIIDEM ના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ અને ચૂંટણી પંચના નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમના અંતે એક ઑનલાઈન ઈવેલ્યુએશન ટેસ્ટ લેવામાં આવશે, જેમાં ટેસ્ટ આપનાર અધિકારીઓએ ૮૦ ટકા સ્કોર કરનારને કેટેગરી-એ તથા કટઑફ માર્ક્સ તરીકે કેટેગરી-બી મુજબ ૫૦ ટકા સ્કોર કરવાનો રહેશે. આ ઉપરાંત ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારીઓને આપવામાં આવી રહેલી તાલીમના આશરે એક માસ બાદ ચૂંટણી પંચ દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ડાઉટ ક્લિયરિંગ સેશન યોજવામાં આવશે, જેના બીજા દિવસે ટેસ્ટ પણ લેવામાં આવશે. જે તાલીમાર્થી અધિકારીનું મુલ્યાંકન વાજબી નહીં ઠરે તેવા તાલીમાર્થીઓને બે અઠવાડિયા બાદ પરીક્ષા પાસ કરવા માટે બીજી તક આપવામાં આવશે.
આ તાલીમ કાર્યક્રમમાં, રાજકોટના ટાગોર રોડ પર આવેલા એ.વી.પી.ટી.આઈ. અને અમદાવાદના સેટેલાઈટ રોડ પર આવેલા સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ખાતે, અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ, જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ,ગાંધીનગર,સુરેંદ્રનગર અને પોરબંદર જિલ્લાના મળી, ૮૬ ચૂંટણી અધિકારીઓ અને ૧૦૫ મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત કુલ ૧૯૧ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ધરમપુરના ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલ આંબાતલાટ ખાતે ‘ઉમિયા વાંચન કુટિર’નું ઉદઘાટન કરશે

vartmanpravah

સુરત અને અમદાવાદથી દીવમાટે વિમાની સેવાનો થયો પ્રારંભઃ પ્રવાસન અને વેપાર-ધંધાને મળનારૂં પ્રોત્‍સાહન

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ડ્રેનેજના ખુલ્લા ઢાંકણાઓમાં ગાડીઓ પટકાઈ રહી છે : તંત્રની ઘોર બેદરકારી

vartmanpravah

દમણ જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને સ્‍વચ્‍છતા અભિયાન, અનાજ કિટ તથા સાડીનું વિતરણ અને કન્‍યાઓને ભોજન કરાવી યાદગાર બનાવ્‍યો

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

અમૃત આવાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત ચીખલી તાલુકાના ગોડથલ ગામના પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સંજયભાઈ પ્રવીણભાઈ પટેલને ચાવી આપી ગૃહ પ્રવેશ કરાવ્યો

vartmanpravah

Leave a Comment