Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

  • બેસ્‍ટ ક્‍વેસ્‍ટ પેપર મિલમાં મોડી રાતે આગ લાગી હતી : સવાર સુધી નહોતી બુઝાઈ આગ : 10 ઉપરાંત ફાયર ફાયટરોની ખડે પગે મહેનત

  • મોટી માત્રામાં કાગળ અને કાચો માલ સંગ્રહીત હોવાથી આગ પર કાબુમેળવાતો નહોતો : આસપાસ કંપનીઓની સુરક્ષાની સાવધાની રખાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10
વાપી નજીક આવેલ મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ એરીયા સ્‍થિત એક પેપર મિલમાં બુધવારે મોડી રાતે અચાનક ભિષણ આગ લાગતા અફરા તફરી સહિત ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. આગ વિકરાળ સ્‍વરૂપ પકડી લીધુ હતું. રાતે લાગેલી આગ સવાર સુધી બુઝાઈ નહોતી.
ઘટના સ્‍થળેથી મળતી પ્રાપ્ત વિગતો અનુસાર મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં કાર્યરત બેસ્‍ટ ક્‍વેસ્‍ટ પેપર મિલમાં બુધવારે મોડી રાતે અચાનક આગ લાગી હતી. કંપનીમાં પેપર અને કાચા માલનો વિપુલ સ્‍ટોક પડેલો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્‍વરૂપ ધારણ કરીને આખી કંપની લપેટમાં લઈ લીધી હતી. જેવી આગ લાગી કે તુરત જ ફરજ પરના કર્મચારીઓ સલામત જગ્‍યાએ દોડી જતા કોઈ જાનહાની સર્જાઈ નહોતી. બીજી તરફ આગના સમાચાર બાદ વાપી પાલિકા અને જીઆઈડીસીના ફાયર ફાયટકો ઘટના સ્‍થળે ધસી જઈને આગ પર કાબુ કરતા રહેલા. પરંતુ આગ વધુ ને વધુ પ્રસરતા આસપાસના પારડી, સરીગામ જેવા વિસ્‍તારોના વધઉ આઠથી દશ ફાયર ફાયટરોની સેવા લેવાઈ હતી. આગની ભયાનકતાને ધ્‍યાને લઈને આસપાસ આવેલ અન્‍ય કંપનીઓમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો હતો. તેથી અન્‍ય કંપનીઓ સુરક્ષા માટે જરૂરી સાવધાની લેવાઈ હતી. બેકાબુ બનેલીઆગ છેક સવાર સુધી આઠ થી દશ કલાક ચાલુ રહી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુઝાવવા ભારે જહેમત ઉઠાવી હતી. અંતે માંડ માંડ આગને કાબુ કરી લેવાઈ હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. કયા કારણોસર આગ લાગી તે જાણી શકાયું નથી.

Related posts

ખોડલધામ પ્રેરિત શ્રી લેઉવા પટેલ સમાજ અતિથિ ભવન સોમનાથ ખાતે યોજાયો યજ્ઞ

vartmanpravah

દાનહના કિલવણી ગ્રામ પંચાયતમાં‘સરકાર આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

વાપી શામળાજી હાઈવે ઉપર નાનાપોંઢા નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા હાઈવે અવર જવર ત્રણ કલાક અટક્‍યો

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024: કાયદો-વ્‍યવસ્‍થા જાળવવાના ભાગરૂપે નરોલીમાં પોલીસ-બટાલિયનના જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં એક દિવસીય નવા રજીસ્‍ટ્રેશન અને લાયસન્‍સ રીન્‍યુઅલનો મેગા કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડમાં વિજ્‍યા દશમી પર્વએ રાવણના પુતળાનું કરાયેલું દહન

vartmanpravah

Leave a Comment