(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: રોટરી ક્લબ ઓફ દાદરા નગર હવેલી છેલ્લા દસ વર્ષથી પ્રદેશમાં કાર્યરત છે. આ સંસ્થા સમાજ સેવા અને સમાજ માટે કાર્યરત છે જેમાં મુખ્ય મોતિયાબિંદનું ઓપરેશન, સુગર ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, બ્લાઇન્ડ અવોઇડેબલ કેમ્પ, એજ્યુકેશન એવરનેશ સેમિનાર ટ્રેનિંગ કરતા આવ્યા છે. રોટરી ક્લબ દાદરા નગર હવેલી દ્વારા આઝાદીના અમૃતમહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. દાનહમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આવ્યા બાદ વિકાસના ઘણાં કામો થયા છે. દાનહના નવ નિયુક્ત રોટરી ક્લબના પ્રેસિડન્ટ શ્રી રાજુભાઈ પટેલ, સેક્રેટરી મિલન પટેલ, રોટેરીયન વિરલસિંહ રાજપૂત, યશવંતસિંહ પરમાર, મેઘાવીન પરમાર સાથે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને મળી અને આવનાર દિવસમાં રોટરી ક્લબ દાનહ સામાજિક કાર્યમાં અવિરત કામ કરશે એવી બાહેંધરી આપી હતી.