Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.એ ‘અગ્નિપથ’ યોજના રથને લીલી ઝંડી બતાવી રવાના કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.25: સેલવાસ નગર પાલિકા દ્વારા દરેક નાગરવાસીઓને જાણ કરવામાં આવે છે કે દેશના યુવાઓને સશષા દળોમાં સામેલ થવા અને દેશની સેવા કરવાનું સપનુ પૂર્ણ કરવા માટે કેન્‍દ્ર સરકાર દ્વારા ‘અગ્નિપથ’ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના ભારતીય સેનાના ત્રણે અંગો થલસેના, વાયુસેના અને નૌસેનામાં જવાન, એયરમેન અને નાવિક વગેરે પદો પર ભરતી માટે ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા લાવવામાં આવેલ નવી યોજના છે. તેથી દાદરા નગર હવેલીના યુવા જેઓની ઉમર સાડા સતર (17.5) વર્ષથી 23 વર્ષ સુધી હોય તેઓ આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે. કેન્‍દ્ર સરકારની ‘અગ્નિપથ’ યોજનાને સફળ બનાવવા માટે વધુમાં વધુ સંખ્‍યામાં યુવક-યુવતિઓ આ યોજનાનો લાભ લઈ શકે એના માટે જિલ્લા પ્રશાસન દ્વારા તા.26મી ઓગસ્‍ટના રોજ દાનહની દરેક પંચાયતોમાં અને તા.26 અને 28મી ઓગસ્‍ટના રોજ સેલવાસ નગરપાલિકાના દરેક વોર્ડમાં ખાસ શિબિરનું આયોજન કરાયું છે. જે સંદર્ભે સેલવાસના યુવાઓને જાગૃત કરવા માટે પાલિકા પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણ, ચીફ ઓફીસર શ્રી મનોજ કુમાર પાંડે દ્વારા ‘અગ્નિપથ’ યોજના જાગરૂકતા રથને લીલી ઝંડી બતાવી રવાનાકરવામા આવી હતી. આ અવસરે પાલિકાના સભ્‍યો અને અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

શનિ અને રવિવારની રજામાં પણ સંઘપ્રદેશનું દોડતું તંત્રઃ પ્રશાસકશ્રીએ દમણ અને સેલવાસમાં કાર્યાન્‍વિત વિવિધ પ્રોજેક્‍ટોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

વાપી ગુંજનમાંથી રૂા.5.33 લાખના એમ.ડી. ડ્રગ સાથે કર્ણાટકી એક ઈસમની પોલીસે ધરપકડ કરી

vartmanpravah

મોટી દમણ વાત્‍સલ્‍ય સ્‍કૂલ ખાતે ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” અંતર્ગત પ્રદર્શન યોજાયું

vartmanpravah

વાપી ઝંડાચોક રોડ ઉપર આરઓબીના લગાવાયેલા બેરીકેટ હટાવાશે : વેપારીઓએ ડીવાયએસપીને કરેલી રજૂઆત

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર સિનીયર સીટીઝન ગ્રુપનો 13મા વર્ષમાં મંગળ પ્રવેશ: વાર્ષિક સામાન્ય સભા યોજાઈઃ પ્રમુખ તરીકે રમેશભાઈ સોજીત્રાની નિમણૂક કરાઈ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા બનાવાયેલ રોડોએ માત્ર 15 દિવસમાં જવાબ આપી દીધો : ઠેર ઠેર ખાડા પડવાનું શરૂ

vartmanpravah

Leave a Comment