March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સુરખાઈ ખાતે જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

પશુપાલન શિબિરમાં પશુમાવજત, પશુ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી, પશુ આરોગ્ય અને પશુપાલન યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પશુપાલકોને આપવામા આવ્યુ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.20: નવસારીના જિલ્લા કક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ આજ રોજ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ચીખલીના સુરખાઇ ઢોડિયા સમાજની વાડી ખાતે યોજાયો હતો. જેમા તાલુકાના અંદાજે ૩૦૦ જેટલા પશુપાલકો ઉત્સાહ સાથે પશુપાલન શિબિરમાં ભાગ લીધો હતો.
પશુપાલન શિબિરમાં પશુઆહાર, પશુસંવર્ધન, પશુમાવજત, પશુઆરોગ્ય, દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી તેમજ પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃતમા માહિતી આપવામા આવી હતી. આ શિબિરમા કૃષિના નિષ્ણાંતો દ્વારા વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવા પર ભાર મુકવામા આવ્યો હતો,
આ પ્રસંગે નવસારી જીલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઇ દેસાઇ દ્વારા દેશી ગાય આધારીત ખેતી કરી પશુપાલકોની આર્થિક સુખાકારીમાં વધારો કરવા માટે પશુપાલકોને આહવાન કરવામાં આવ્યું હતુ. અને પ્રાકૃતિક ખેતી સાથે પશુપાલન કરી ઓછા ખર્ચે વધુ આવક કેવી રીતે મેળવી શકાય અને પશુપાલન વ્યવસાયમાં કેવી રીતે આગળ વધી શકાય તે વિષય પર માર્ગદર્શન આપ્યું હતુ.
કાર્યક્રમમાં નવસારી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી શ્રીમતી અંબાબેન માહલા, ચીખલી, વાંસદા, ખેરગામ અને વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યોશ્રીઓ પશુપાલન વિષય નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

દરિયો ખેડવા પોરબંદર જઈ રહેલા ઉમરગામના આદિવાસી માછીમારોઃ પરિવારજનોમાં વિરહની વેદના અને ઉચાટ

vartmanpravah

‘‘વાદા કિયા તો નિભાના હી પડેગા” : મોદી સરકારે શરૂ કરેલી નવી પરંપરા કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દાનહની પેટા ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂર્ણ કરી મોદી સરકારની વચનબધ્‍ધતાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

વાપી હાઈવે ઉપર મધરાતે ટ્રક પલટી મારી જતા પારડી-વલસાડ સુધી ટ્રાફિક જામ : વાહનોની કતાર

vartmanpravah

વાપીમાં ગાંધી સર્કલ નજીકથી નેપાળી યુવકનો મૃતદેહ મળી આવ્‍યો : નેપાળ જવા નિકળ્‍યો હતો

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ઉમરકુઇના બેહરૂન પાડામાં ‘લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ’ પહેલ અંતર્ગત જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી શ્રીનરેશભાઈ પટેલના હસ્‍તે બીલીમોરા નગરપાલિકામાં રૂા. 12 કરોડ અને ચીખલી તાલુકાના વિવિધ ગામોમાં રૂા.6.31 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment