April 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણ અને ભીમપોર પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા અભિયાન’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયની સ્‍વાયતસંસ્‍થા નેહરુ યુવા કેન્‍દ્ર દમણ અને ભીમપોર પંચાયત દ્વારા ર0 ઓક્‍ટોબર, ર0ર1ના રોજ ક્‍લીન ઈન્‍ડિયા અભિયાન અંતર્ગત ભીમપોરમાં સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત સમગ્ર દેશભરમાં સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને કલેક્‍ટર શ્રી ગૌરવસિંહ રાજાવતના માર્ગદર્શનમાં આ ક્‍લીન ઈન્‍ડિયા પ્રોગ્રામ 01થી 31 ઓક્‍ટોબર સુધી આયોજીતકરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં નેહરુ યુવા કેન્‍દ્ર સંગઠન અને રાષ્‍ટ્રીય સેવા યોજનાના યુવાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. તમામ યુવાઓએ 100 કલાક સુધી શ્રમદાન કરવા અને અન્‍ય યુવાઓને પણ પ્રેરિત કરવાનો સંકલ્‍પ લીધો હતો. ત્‍યારબાદ યુવાઓએ ભીમપોર ગામમાં સફાઈ કાર્યક્રમ કર્યો હતો. કાર્યક્રમનો ઉદ્દેશ્‍ય સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિક અને અન્‍ય કચરાથી છુટકારો મેળવવાનો અને લોકોને સ્‍વચ્‍છતા માટે જાગૃત કરવાનો છે.
આ કાર્યક્રમમાં ભીમપોર પંચાયતના પંચાયત સચિવ અને અન્‍ય કેટલાક કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજનમાં જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપમ કૈથવાસ અને રાષ્‍ટ્રીય યુવા સ્‍વયંસેવક શ્રી હર્ષિલ, શિવાની, ધૃવ અને સ્‍નેહાએ મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Related posts

પોર્ટુગીઝોએ ભારતીય વસાહતો પર સત્તા મેળવવા માટે લગભગ ચારસો વર્ષ અથાક પ્રયત્‍નો કર્યા હતા અને તે પછી પોણા બસો વર્ષ સત્તા ટકાવી રાખી હતી

vartmanpravah

દાનહમાં ફ્રૂટ માર્કેટ ગલીમાં આગ લાગતા એક દુકાનને નુકસાન

vartmanpravah

દહાડ ગામની આઝાદી પહેલાની પ્રાથમિક શાળાનું મકાન અને જમીન હડપવા રચેલા કારસા સામે તપાસની આવશ્‍યકતા

vartmanpravah

‘‘વાદા કિયા તો નિભાના હી પડેગા” : મોદી સરકારે શરૂ કરેલી નવી પરંપરા કેન્‍દ્રીય મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દાનહની પેટા ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂર્ણ કરી મોદી સરકારની વચનબધ્‍ધતાની કરાવેલી પ્રતિતિ

vartmanpravah

ચીખલી-ખેરગામ તાલુકામાં ગેરકાયદે પાંજરામાં પોપટ રાખનારાઓ પર વનવિભાગની રેડ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ગુરૂમંત્રઃ કામ એજ ભક્‍તિ લક્ષદ્વીપથી પરત ફર્યા બાદ શરૂ કરેલું દમણના વિકાસકામોનું નિરીક્ષણ

vartmanpravah

Leave a Comment