July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાત

સરીગામ જીઆઇડીસીની માળખાકીય સુવિધામાં થનારો અદ્યતન સુધારોઃ અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇન બાદ સીઈટીપીની દરિયા સુધી પાઈપલાઈન નાખવા મળનારી 70 ટકા સહાય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.20
સરીગામ ઉદ્યોગિક વસાહત માટે રાજ્‍ય સરકારના નાણાં અને ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સુકનિયાળ સાબિત થઈ રહ્યા છે. સરીગામ ઉદ્યોગિક વસાહત માટે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ હકારાત્‍મક વલણ અપનાવતા માળખાકીય સુવિધામાં અધતન વ્‍યવસ્‍થા ઊભી કરવામાં સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના વહીવટદારોને સફળતા મળી રહી છે.
આજરોજ એસ.આઈ.એ.ના સેક્રેટરી શ્રી સમીમભાઈ રીઝવી, પૂર્વ સેક્રેટરી શ્રી કમલેશભાઈ ભટ્ટ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સજ્જનભાઈ મુરારકા, શ્રી નિતીનભાઈ ઓઝાએ મંત્રીશ્રીની ગાંધીનગર કાર્યાલય ખાતે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન સરીગામ ઔદ્યોગિક વસાહતમાં પાયાની સુવિધાને લગતા કેટલાક જરૂરી મુદ્દાઓ પર વિસ્‍તૃત ચર્ચા અને રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં સીઈટીપીમાંથી ટ્રીટમેન્‍ટ કરાયેલા પાણીને તડગામ દરિયાકિનારા સુધી પહોંચાડવા માટે પાઇપલાઇનનો પ્રશ્ન જરૂરી જણાય રહ્યો હતો. જે રજૂઆતને પ્રાધાન્‍ય આપી મંત્રીશ્રીએ 40 ટકા સહાય મળવાપાત્ર હતી. એમની જગ્‍યાએ 70 ટકા સહાય અપાવવા સંબંધિત વિભાગને સૂચન કર્યું છે. જેના કારણે ઔદ્યોગિકવસાહતને વધુ લાભ થવાના સંજોગો નિર્માણ થશે એમાં બેમત નથી. આ અગાઉ મંત્રીશ્રીએ અંડર ગ્રાઉન્‍ડ કેબલ લાઇનની રજુઆતને માન્‍ય રાખી હતી. જેના કારણે ચોમાસા દરમિયાન વારંવાર ખોટકાતી વીજ સમસ્‍યામાંથી મુક્‍તિ મળશે. આ ઉપરાંત બિસ્‍માર બનેલ બાયપાસ રોડના કારણે પડી રહેલી હાલાકીની સમસ્‍યા તરફ પણ તાત્‍કાલિક અસરથી દૂર કરવા બાંહેધરી આપી છે. મંત્રીશ્રીએ એસ.આઈ.એ.ની ટીમની વીસીએમડી સાથે મુલાકાત ગોઠવી આપી જરૂરી રજૂઆત તરફ ધ્‍યાન આપવા ભલામણ કરી હતી. આમ ગાંધીનગર પહોંચેલી એસ.એસ.એ.ની ટીમની મુલાકાત સફળ રહેવા પામી હતી.

Related posts

વહેલી સવારે પારડી ચંદ્રપુર હાઈવે પર ડમ્‍પર અને કન્‍ટેઈનર વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માતઃ કન્‍ટેઈનર ચાલકનું મોત

vartmanpravah

વાપીના પરીયા ગામમાં દિવાળીમાં લક્ષ્મીની ધનવર્ષા થઈ

vartmanpravah

વહીવટદાર કરણજીત વાડોદરિયાના અધ્‍યક્ષસ્‍થાને દમણ-દીવ સ્‍ટેટ કો-ઓપરેટિવ બેંકની શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી 7મી વાર્ષિક સામાન્‍ય સભા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

કલગામ હનુમાનજી મંદિરે વિકલાંગ શ્રદ્ધાળુઓની સહાય માટે યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટે વ્‍હીલચેરની ઉભી કરેલી વ્‍યવસ્‍થા

vartmanpravah

શારદા ફાઉન્‍ડેશન અને પોલીસ વિભાગ તેમજ એમ.આર.દેસાઈ આર્ટ્‍સ એન્‍ડ ઈ.ઈ.એલ.કે.કોમર્સ કોલેજ અને કોલેજ ઓફ એપ્‍લાઈડ સાયન્‍સીસ એન્‍ડપ્રોફેશનલ સ્‍ટડીઝના સંયુક્‍ત ઉપક્રમે ચીખલી કોલેજમાં મેગા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment