Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરાઃ ઘરમાં ઘુસી મારામારી કરી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરનાર આરોપીની કરાયેલી ધરપકડ

આરોપી પાસેથી રોકડ રકમ, મોબાઈલ એક્‍ટીવા જપ્ત કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28: દાદરા નગર હવેલીના દાદરા ગામે ગત 12 ઓગસ્‍ટના રોજ બે અજાણ્‍યા ઈસમો ઘરમાં ઘુસી રૂમમાં રહેતા વ્‍યક્‍તિને લાકડાના ફટકા મારી ઘરમાંથી રોકડ રકમ અને એક મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા, જેઓની ધરપકડ કરી મોબાઈલ, રોકડ રકમ અને એક એક્‍ટિવા જપ્ત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ફરિયાદી ફૂલ રામદયાલ સિંહ કેમુર રહેવાસી દામોદર કોલોની નહેર ફળિયા, દાદરા જેઓના ઘરમા બે અજાણ્‍યા વ્‍યક્‍તિ ઘુસી આવી એમની સાથે મારપીટ કરી હતી. જેના કારણે ઘૂંટણ અને કમરમાં ઈજાઓ થઈ હતી અને એમનો રિયલમી કંપનીનો મોબાઈલ અને રોકડ રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બાબતે સેલવાસ પોલીસે આઈપીસી 394, 34 મુજબ ગુનો નોંધી એસએચઓ અનિલ ટી.કે.ના નેતૃત્‍વમાં એક ટીમ બનાવી પીએસઆઈ શશિકુમાર સિંહ, હેડ કોન્‍સ્‍ટેબલ નયન રાઠોડ સહિત ટીમે તપાસ દરમ્‍યાન ગુનામાં સામેલ એક સીસીએલને શોધી કાઢી બાદમાં એને રિમાન્‍ડ હોમ સુરત ખાતે મોકલવામાં આવ્‍યો હતો. બીજો આરોપી જે ફરાર હતો, શ્રીકેશ ઉર્ફે પોલુ રાકેશસિંહ (ઉ.વ.23)રહેવાસી હરિયા પાર્ક વાપી, જેને 27 ઓગસ્‍ટના રોજ ઝડપી પાડી તેથી ધરપકડ કરવામાં આવ્‍યો હતો એની પાસેથી ચોરી કરવામાં આવેલ મોબાઈલ રોકડ રકમ 19 હજાર રૂપિયા અને ગુનામાં વાપરવામાં આવેલ એક્‍ટિવા મોપેડ જપ્ત કરવામાં આવ્‍યા હતા. આ આરોપી અગાઉ સેલવાસમાં પાંચ ગુનાહિત બાબતોમાં, દમણમાં બે કેસમાં અને વલસાડ જિલ્લામાં 11 કેસોમાં સામેલ હતો. એણે ધોરણ દસ સુધીનો અભ્‍યાસ કર્યો છે અને 2017થી ચોરી, લૂંટ, હત્‍યાનો પ્રયાસ, અપહરણ વગેરે ગુનાહિત ગતિવિધિઓમાં સામેલ છે.

Related posts

દાદરાની અમૂલ્‍યા એન્‍જિનિયર્સ કંપનીમાં કામ કરતા ઈસમને કંપનીના કામ અર્થે ભરૂચ કેમિકલ કંપનીમાં કા કરી પરત ફરતા થયું સ્‍કીન ઈન્‍ફેકશન

vartmanpravah

દેશના ખ્‍યાતનામ દૈનિક ઈન્‍ડિયન એક્‍સપ્રેસ દ્વારા પ્રદેશ અધ્‍યક્ષ સી.આર. પાટીલને સતત બીજી વખત દેશના 100 સૌથી શક્‍તિશાળી વ્‍યક્‍તિઓની યાદીમાં સમાવેશ કરાયો

vartmanpravah

દાનહઃ સીલી ગામના ચોકીપાડાનો રસ્‍તો અત્‍યંત જર્જરિત અને બિસ્‍માર: તાત્‍કાલિક રિપેર કરવા ગ્રામજનોની બુલંદ માંગ

vartmanpravah

ઉમરગામ તાલુકા વિકાસ અધિકારી અક્ષય રાજપૂતની કાર્યશૈલીથી સમગ્ર તાલુકો ત્રસ્‍ત

vartmanpravah

જુજવામાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની જાહેરસભાના પગલે ધરમપુર રોડ પર ડાયવર્ઝન અપાયું

vartmanpravah

ચીખલી-વાંસદા મુખ્‍યમાર્ગ ઉપર વધતી જતી ટ્રાફિક સમસ્‍યાના નિવારણ માટે માર્ગની આજુબાજુની અડચણોને હટાવવા માંગ

vartmanpravah

Leave a Comment