(વર્તમાનપ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: દાદરા નગર હવેલી ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતિ અમલીકરણ અભિયાન અંતર્ગત સેલવાસ શહીદ ચોક ચાર રસ્તા નજીક ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને એસ.પી. શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીણા અને એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન દ્વારા ગુલાબના ફુલ આપી નિયમ મુજબ વાહન ચલાવવા અને બાઈક ચલાવતી વખતે ફરજીયાત હેલ્મેટ પહેરવું, ફોર વ્હીલર ચલાવતી વખતે ફરજીયાત સીટ બેલ્ટ બાંધવો જેવા નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઝુંબેશ દરમ્યાન એસ.પી. રાજેન્દ્ર પ્રસાદ મીણા, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, ટ્રાફિક ઈન્ચાર્જ શ્રી આર.કે.ગાવિત સહિત ટ્રાફિક પોલીસ સ્ટાફ જોડાયો હતો.
આ ટ્રાફિક અભિયાનમાં 400 ફુલો આપવામાં આવ્યા હતા અને લગભગ 3500 જેટલા લોકોમાં જાગૃતિ સંદેશ ફેલાવ્યો હતો. જ્યારે 36 ઈ-ચલન જારી કરાયા હતા જેમાં રૂા.38,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. અભિયાન દરમિયાન કુલ 250 ચલન જારી કરાયા હતા જેમાં રૂા.201500નો દંડ વસૂલ કરવામાં ટ્રાફિક પોલીસ વિભાગે સફળતા મેળવી હતી.