Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

ધરમપુર 13 ટકા, વલસાડ 7 ટકા, પારડી 5 ટકા, કપરાડા 9 ટકા અને ઉમરગામમાં 3 ટકા 2017ની ચૂંટણી કરતા ઓછુ મતદાન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ જિલ્લામાં- 2022 વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીનું ગુરૂવારે યોજાયેલ મતદાન કુલ સરેરાશ 65.28 ટકા મતદાન નોંધાયું છે. એવરેજ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા સુધીનો મતદાનમાં ઘટાડો નોંધાયો છે. તેથી ઉમેદવારો, કાર્યકર્તાઓ અને પક્ષોમાં હાર-જીતની અવનવી અટકળોનો દોર જિલ્લાભરમાં ચાલી રહ્યો છે. જો કે આપ અને કોંગ્રેસ કરતા ભાજપનો આશાવાદ વધુ જોવા મળી રહ્યો છે. વાપીમાં તો પરિણામ પહેલા જીતના ફટાકડા પણ ફુટયા હતા.
વિધાનસભા ચૂંટણી-2022માં નવા અનેક પરિબળો અને પરિમાણો જોડાયા છે. 2017ની ચૂંટણી માત્ર દ્વિપક્ષીય ભાજપ અને્‌ કોંગ્રેસ વચ્‍ચે રહી હતી. પરંતુ વર્તમાન ચૂંટણી ત્રિપક્ષિય યોજાઈ હતી. આમ આદમી પાર્ટીએ જિલ્લામાં એન્‍ટ્રી નોંધાવી દીધી છે. પાંચેય બેઠકો ઉપર આપના ઉમેદવારો ચૂંટણી લડયા છે તેથી વલસાડ જિલ્લાનું ચૂંટણી ગણિત બદલાઈ ચુક્‍યું છે. 2022ની ચૂંટણી મતદાનમાં ધરમપુરમાં 13 ટકા, વલસાડ 7 ટકા, પારડી 5 ટકા, કપરાડા 9 ટકા અને ઉમરગામમાં 3 ટકા ઓછુ મતદાન થયું હોવાથી તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો માથું ખંજવાળા ચોક્કસ થયા છે. જિલ્લાની તમામ પાંચ બેઠકો ભાજપ પાસે હતી તે પૈકી વર્તમાન મતદાન અને સ્‍થિતિ જોતા એકાદ, બે સીટ ઓછી થશે તેમાં વલસાડ અને ધરમપુરની બેઠક ઉપર અનિશ્ચિતતા વર્તાઈ રહી છે. જે પણ ઉમેદવાર જીતશે તે પાતળી બહુમતિથી જીતશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે.

Related posts

વલસાડ તિથલ દરિયા કિનારેમહાકાય માછલીનું કંકાલ મળી આવતા લોકો જોવા દોડી ગયા

vartmanpravah

20રરના પહેલા રવિવારે જમ્‍પોરબીચ ઉપર જામેલો સહેલાણીઓનો મેળો

vartmanpravah

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે નવનિર્મિત રાજસભાગૃહને ખૂલ્લું મૂકતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

vartmanpravah

ચીખલી-વાંસદાના ધારાસભ્‍ય અનંત પટેલ ઉપર કરાયેલા હુમલા બાદ નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહીરની દુકાનમાં ટોળાએ કરેલી તોડફોડ

vartmanpravah

વાપીની પેપરમીલોમાં કોલસાની કટોકટી ઉભી થતાં 40 જેટલી પેપરમીલ બંધ થવાાના અણસાર

vartmanpravah

આદિવાસીઓના આર્થિક ઉત્‍થાન હેતુ ખાનવેલના વેલુગામમાં પ્રશાસન દ્વારા લાભાર્થીઓને મરઘીઓનું કરાયેલું વિતરણ

vartmanpravah

Leave a Comment