October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા થયેલા ઓછા મતદાનથી ઉમેદવારોએ માથે હાથ મુક્‍યાઃ હાર-જીતની અટકળો શરૂ

ધરમપુર 13 ટકા, વલસાડ 7 ટકા, પારડી 5 ટકા, કપરાડા 9 ટકા અને ઉમરગામમાં 3 ટકા 2017ની ચૂંટણી કરતા ઓછુ મતદાન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડ જિલ્લામાં- 2022 વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીનું ગુરૂવારે યોજાયેલ મતદાન કુલ સરેરાશ 65.28 ટકા મતદાન નોંધાયું છે. એવરેજ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર 3 થી 13 ટકા સુધીનો મતદાનમાં ઘટાડો નોંધાયો છે. તેથી ઉમેદવારો, કાર્યકર્તાઓ અને પક્ષોમાં હાર-જીતની અવનવી અટકળોનો દોર જિલ્લાભરમાં ચાલી રહ્યો છે. જો કે આપ અને કોંગ્રેસ કરતા ભાજપનો આશાવાદ વધુ જોવા મળી રહ્યો છે. વાપીમાં તો પરિણામ પહેલા જીતના ફટાકડા પણ ફુટયા હતા.
વિધાનસભા ચૂંટણી-2022માં નવા અનેક પરિબળો અને પરિમાણો જોડાયા છે. 2017ની ચૂંટણી માત્ર દ્વિપક્ષીય ભાજપ અને્‌ કોંગ્રેસ વચ્‍ચે રહી હતી. પરંતુ વર્તમાન ચૂંટણી ત્રિપક્ષિય યોજાઈ હતી. આમ આદમી પાર્ટીએ જિલ્લામાં એન્‍ટ્રી નોંધાવી દીધી છે. પાંચેય બેઠકો ઉપર આપના ઉમેદવારો ચૂંટણી લડયા છે તેથી વલસાડ જિલ્લાનું ચૂંટણી ગણિત બદલાઈ ચુક્‍યું છે. 2022ની ચૂંટણી મતદાનમાં ધરમપુરમાં 13 ટકા, વલસાડ 7 ટકા, પારડી 5 ટકા, કપરાડા 9 ટકા અને ઉમરગામમાં 3 ટકા ઓછુ મતદાન થયું હોવાથી તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો માથું ખંજવાળા ચોક્કસ થયા છે. જિલ્લાની તમામ પાંચ બેઠકો ભાજપ પાસે હતી તે પૈકી વર્તમાન મતદાન અને સ્‍થિતિ જોતા એકાદ, બે સીટ ઓછી થશે તેમાં વલસાડ અને ધરમપુરની બેઠક ઉપર અનિશ્ચિતતા વર્તાઈ રહી છે. જે પણ ઉમેદવાર જીતશે તે પાતળી બહુમતિથી જીતશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે.

Related posts

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

vartmanpravah

સંઘપ્રદેશના લોકો હવે ઘરબેઠાં ટેલી માનસ સેવાનો લાભ ઉઠાવી શકશે

vartmanpravah

થર્ડ જેન્‍ડરના સ્‍ટેટ આઈકોન વાપીની મારિયા પંજવાણીએ વધુમાં વધુ મતદાન કરી લોકતંત્રના મહાઉત્‍સવની ઉજવણી કરવા મતદારોને કરી અપીલ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘એક પેડ માઁ કે નામ’ અભિયાનમાં દમણ-દીવ સાંસદ ઉમેશભાઈ પટેલ પણ જોડાયા: સોશિયલ મીડિયામાં શેર કર્યો ભાવુક સંદેશ

vartmanpravah

આદિવાસી સમાજની દીકરી ઉપર થઈ રહેલ અત્‍યાચારના વિરોધમાં ગુજરાત રાજ્‍યના ગૃહ મંત્રીને આવેદનપત્ર પાઠવતો સમસ્‍ત આદિવાસી સમાજ પારડી

vartmanpravah

સîઘ­દેશમાં કેટલીક ખાનગી શાળાઓ દ્વારા પસંદગીની દુકાનમાંથી જ પુસ્તકો-સ્ટેશનરી ખરીદવા કરાતું દબાણ

vartmanpravah

Leave a Comment