June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર ખાતે ફલેટમાંથી રૂા.22.76 લાખ મત્તાની ચોરીની તપાસમાં પોલીસને મોટી સફળતા મળીઃ બે આંતરરાજ્‍ય ચોર ઝડપાયા

ઘરફોડ ચોર રાજુ વિઠ્ઠલરાવ દેસાઈ નિતિશ કમ્‍બાલૈયા મહારાષ્‍ટ્રથી ઝડપાયા : રોકડા સહિત રૂા.12.10 લાખ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: ધરમપુરમાં ગત તા.11મી ઓક્‍ટોબરે લક્ષ્મી એપાર્ટમેન્‍ટના એક ફલેટમાંથી રૂા.20.35 લાખ રોકડા સોનાના ઘરેણા મળી રૂા.22.76 લાખ મત્તાની ચોરી થઈ હતી. જેની ચાંપતી તપાસમાં વલસાડ એલ.સી.બી., એસ.ઓ.જી.ની પોલીસ ટીમે મોટી સફળતા મળી હતી.
પોલીસે ધરમપુર ચોરી પ્રકરણમાં અલગ અલગ 6 ટીમો બનાવી ધરમપુર-પારડી-વલસાડ વાપીમાં આશરે 500 થી વધુ સીસીટીવી ફુટેજોનું ટેકનિકલ એનાલીસીસ કરવામાં આવ્‍યું હતું. જેમાં વિગતો મળી હતી. ચોરી મહારાષ્‍ટ્ર સાંગલી તથા સોલાપુર વિસ્‍તારના રીઢા ઘરફેડીયા ચોર આરોપી રાજવીર ઉર્ફે રાજુ સુભાષ વિઠ્ઠલરાવ દેસાઈ અને મિતીશ ઉર્પે અડવૈયા કમ્‍બાલૈયા ચિકમ થનાઓ કરી હતી. બન્ને આરોપીને વલસાડ લવાયા બાદ વધુ પૂછપરછ હાથ ધરાઈ હતી. આરોપીઓ સુરતથી ચોરી કરેલ ગ્રે કલરની એક્‍ટીવા લઈને ધરમપુર ફલેટમાં ચોરી કરવા આવ્‍યા હતા. પોલીસે મોપેડ નં.જીજે 06 એનવાય 7992, મોબાઈલ ફોન, રોકડા રૂપિયા પાસબુકો-ચેકબુકો ડીસમીસ મળી કુલ રૂા.12.10 લાખનો મુદ્દામાલજપ્ત કર્યો હતો. આરોપીઓએ કબુલ્‍યુ હતું કે, દાગીના મહારાષ્‍ટ્ર મુથુટ ફાઈનાન્‍સમાં ગીરો રોકડ મેળવી હતી. 7 તોલા સોનું ખાનગી ફાઈનાન્‍સર પાસે રાખેલ હતું. આરોપીઓએ મોટી દમણ, સેલવાસ, ગુંદલાવ, કોલ્‍હાપુર, સાંગલી, મહારાષ્‍ટ્ર પોલીસમાં 14 અને કર્ણાટક પોલીસમાં 9 મળી કુલ 24 જેટલી ચોરીમાં સંડોવણી સામે આવી છે. એલ.સી.બી. પી.આઈ. ઉત્‍સવ બારોટ, એસ.ઓ.જી. પી.આઈ. એ.યુ.રોઝ, વાપી ટાઉન પીઆઈ કે.જે. રાઠોડ ધરમપુર પી.આઈ. એન.ઝેડ ભોયા, સાઈબર ક્રાઈમ પી.આઈ. એન.એન. બુબડીયાની ટીમ વર્ક થકી પોલીસને આંતરરાજ્‍ય રીઢા ઘરફોડ ચોરોને ઝડપી પાડવાની સફળતા મળી છે.
——

Related posts

વાસોણાની દુકાનમાં લુંટનો પ્રયાસ કરનાર આરોપીની પોલીસે હાથ ધરેલી વધુ તપાસ: આરોપીએ દુકાનદારને એરગન દ્વારા ગભરાવવાનો કર્યો હતો પ્રયાસ

vartmanpravah

જિલ્લામાં કોરોનાનો વિસ્‍ફોટ પારડીમાં 10 અને વાપી વિસ્‍તારમાં કોરોનાના 4 કેસ નોંધાતા દોડધામ

vartmanpravah

ગૌ સેવાના લાભાર્થે દાનહમાં રાજસ્‍થાન યુવા સંઘ દ્વારા ‘રાજસ્‍થાન પ્રીમિયર લીગ’ સીઝન-3નું આયોજન

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

દમણ સહિત સમગ્ર સંઘપ્રદેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પ્રશાસન દ્વારા થઈ રહેલા અનેક પ્રયાસો

vartmanpravah

Leave a Comment