Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી જીઆઈડીસી ભીડભંજન દેરાસરમાં પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરાઈ

જીઆઈડીસી જૈન સમુદાયે મહાવિર ભગવાન જન્‍મ કલ્‍યાણ દિનની ઉજવણી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: જૈનોનું મહાપર્વ પર્યુષણ હાલમાં ચાલી રહ્યા છે. ગત તા.24-8-2022 થી તા.31-8-2022 સુધી પર્યુષણ મહાપર્વની ઉજવણી જૈનો ભક્‍તિભાવ-આરાધના સાથેકરી રહ્યા છે તે અંતર્ગત વાપી જીઆઈડીસીમાં આવેલ ભીડભંજન દેરાસરમાં સોમવારે પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરવામાં આવી હતી.
જૈન ધર્મમાં પર્યુષણને પર્વાધિરાજ કહેવામાં આવે છે. તેથી તેનો મહિમા અત્‍યંત હોવાથી વાપીના તમામ જૈન કિરકાઓ પર્યુષણ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ દેરાસરોમાં જૈન મહારાજ સાહેબની નિશ્રામાં ધર્મ વાંચન, પ્રવચનો, ભજનો ચાલી રહ્યા છે. તા.29 ઓગસ્‍ટના દિવસે ભગવાન મહાવિર સ્‍વામીનો જૈન કલ્‍યાણ દિવસ હોવાથી વાપી જીઆઈડીસીમાં આવેલ ભીડભંજન દેરાસરમાં ભગવાન મહાવિર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભગવાનને ચાંદી અને ફુલોની આંગી સમર્પણ કરાઈ હતી. જેનો લાભ ગુંજન જી.આઈ.ડી.સી.ના જૈન સમુદાયએ લીધો હતો.

Related posts

ચીખલીના ખૂંધમાં પારસી સમાજનું અંતિમક્રિયા માટેના ‘ડખમુ’ નો છેલ્લા 40 કરતા વધુ વર્ષથી ઉપયોગ બંધ

vartmanpravah

વાપીમાં બેસુમાર અતિવૃષ્‍ટિથી ચોમેર જમીન ત્‍યાં જળની સ્‍થિીતઃ હાલાકીઓ વચ્‍ચે ધબકતું જનજીવન

vartmanpravah

રેડક્રોસ વાપી તાલુકા બ્રાન્‍ચ દ્વારા સરીગામ ઈન્‍ડ. એસોસિએશનમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશમાં વારે-તહેવારે પ્રશાસક પ્રફુલભાઈ પટેલને હટાવવાનો મુદ્દો કેમ ઉઠતો રહે છે?

vartmanpravah

વાપી ડુંગરાના પૌરાણિક પંચકેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્‍તોએ સમૂહ આરતી કરી

vartmanpravah

વલસાડ જિલ્‍લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

Leave a Comment