જીઆઈડીસી જૈન સમુદાયે મહાવિર ભગવાન જન્મ કલ્યાણ દિનની ઉજવણી કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: જૈનોનું મહાપર્વ પર્યુષણ હાલમાં ચાલી રહ્યા છે. ગત તા.24-8-2022 થી તા.31-8-2022 સુધી પર્યુષણ મહાપર્વની ઉજવણી જૈનો ભક્તિભાવ-આરાધના સાથેકરી રહ્યા છે તે અંતર્ગત વાપી જીઆઈડીસીમાં આવેલ ભીડભંજન દેરાસરમાં સોમવારે પાશ્વનાથ ભગવાનને ચાંદી અને ફુલોની આંગી કરવામાં આવી હતી.
જૈન ધર્મમાં પર્યુષણને પર્વાધિરાજ કહેવામાં આવે છે. તેથી તેનો મહિમા અત્યંત હોવાથી વાપીના તમામ જૈન કિરકાઓ પર્યુષણ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ દેરાસરોમાં જૈન મહારાજ સાહેબની નિશ્રામાં ધર્મ વાંચન, પ્રવચનો, ભજનો ચાલી રહ્યા છે. તા.29 ઓગસ્ટના દિવસે ભગવાન મહાવિર સ્વામીનો જૈન કલ્યાણ દિવસ હોવાથી વાપી જીઆઈડીસીમાં આવેલ ભીડભંજન દેરાસરમાં ભગવાન મહાવિર સ્વામીના જન્મ કલ્યાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ભગવાનને ચાંદી અને ફુલોની આંગી સમર્પણ કરાઈ હતી. જેનો લાભ ગુંજન જી.આઈ.ડી.સી.ના જૈન સમુદાયએ લીધો હતો.