October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડમાં ગણેશ મહોત્‍સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

ડીવાયએસપી વી.એન. પટેલ તેમજ વલસાડ શહેર પીઆઈ દિપકભાઈ ઢોલની અધ્‍યક્ષતામાં વલસાડના ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: તરીયા વાડ ત્રણ રસ્‍તા પાસેથી અન્‍ય વાહનો જસે નહિ.. ગણપતિનું વાહન છોડી ને બીજા તમામ વાહનોનો પ્રવેશ બંધ રહેશે, અબીલ ગુલાલ તેમજ પ્રસાદ કોઈ ઉપર નાખવામાં ના આવે, આંબા માતા મંદિરથી ગણપતિ સુધી ડી.જે બંધ કરવાની લાગણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ગણપતિ દરમ્‍યાન નોનવેજની ખાદ્ય પદાર્થનું વેચાણ બંધ થાય તેવી અપીલ પણ કરવામાં આવે તેવી રજૂઆત બકુલ રાજગોર દ્વારા કરવામાં આવી હતી. દિવ્‍યેશ પાંડે દ્વારા સિંગલ વિન્‍ડો પરમિશન માટે કરવામાં આવે અને પરમિશન લેનારને તકલીફના પડે તેમજ પૂજા કર્યા બાદ વિસર્જન યાત્રા નીકળે કારણ કે પૂજા કરવા આવનાર બ્રાહ્મણો ઘણી વખત મોડા પડતા હોય છે તેવી લાગણી દિવ્‍યેશ પાંડે દ્વારા કરવામાં આવી હતી. સાથે હવે પછી કંઈ કામ હોય તો રાજ કુમાર ભાઈ ને મળી શકો છો તેવું વલસાડ ડી.વાય.એસ.પી. પટેલ દ્વારા જણાવાયું ત્‍યારે ઈલ્‍ફાનનભાઈ કાદરી દ્વારા રાજ કુમાર ઉપાધ્‍યાયને ફરી એક વલસાડ શહેરમાં બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે તેમજ નોનવેજની અપીલ કરી શકાય પરંતુ કોઈને જોર જબરદસ્‍તી ના કરી શકાય ત્‍યારે રાજુભાઈ મરચાં દ્વારા વિસર્જનના દિને નોનવેજ બંધ રાખે અને ભાઈચારો કાયમ રહે તેવી લાગણી વ્‍યક્‍ત કરવામાં આવી. તેમજ ગણેશની મોટી પ્રતિમા હોય ત્‍યારે ઉતાવળ ના કરવા માટે આશા રખાઈ. કોઈ તકલીફ ન પડે તેવી ખાતરી ડી.વાય.એસ.પી વી.એન. પટેલ દ્વારા આપવામાં આવી હતી. વલસાડ શહેર પોલીસ દ્વારા તમામ મંડળને પોલીસ સહાયકના 5 પાસ આવવામાં આવશે અને તે વ્‍યક્‍તિ મંડળનો અગ્રણી હોય તેવાને આપવામાં આવશે તેમજ આપણો તેહવાર ધામધૂમથી ઉજવાય તે માટેની આપણે વલસાડ વાશીઓની જવાબદારી છે તેવું વલસાડ શહેર પી.આઈ. દિપકભાઈ ઢોલ દ્વારા કહેવામાં આવ્‍યું હતું. સાથે સાથે વલસાડ નગર પાલિકા સાથે પણ મીટિંગ થઈ ચૂકી છે અને વિસર્જનના 4 ઓવડાબનાવવામાં આવે તેવી કામગીરી પણ કરવામાં આવી રહી છે. વલસાડ શહેરની અંદર શાંતિમય વાતાવરણની અંદર હર્ષોઉલ્લાસ સાથે ગણેશ મહોત્‍સવ મનાવવામાં આવે અને કોઈ અનિચ્‍છદ બનાવો ન બને તેનું ખાસ ધ્‍યાન રાખવા વલસાડ શહેર પી.આઈ. દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

Related posts

સેલવાસ ફેડરેશન ઓફ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના અધ્‍યક્ષ બનતા અતુલ શાહઃ મહામંત્રીની જવાદબારી કે.ટી. પરમારના શિરે

vartmanpravah

વાપી ગુંજન ચાર રસ્‍તા, ગીતાનગર સહિત અનેક વિસ્‍તારોમાં વરસાદી ખાડા તેમજ પાણી ભરાવાથી વણસેલી સ્‍થિતિ

vartmanpravah

દાનહના રખોલીમાં રહેતા પરપ્રાંતિય પરિવારની 17 વર્ષિય કિશોરીએ હાથની નસ કાપી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

રાષ્ટ્રીય ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વનાથી શ્રીનિવાસના માર્ગદર્શનમાં નોર્થ ગોવામાં ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાની ઝોનલ મિટિંગ યોજાઈ

vartmanpravah

વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી સાધારણ સભા યોજાઈ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કીટનું કરાયેલું વિતરણઃ વિદ્યાર્થીઓને પાઠવેલી શુભકામના

vartmanpravah

Leave a Comment