(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01: દાદરા નગર હવેલીમાં ગુરૂવારની મોડી રાત્રિ દરમ્યાન પડેલ ભારે ધોધમાર વરસાદને કારણે વારંવાર પ્રશાસનના ધ્યાનમાં લાવવામાં આવી રહેલ એવા ખાનવેલ-દૂધની રોડ જેને ચોમાસા પહેલા ખોદી કાઢવામાં આવેલ છે. આ રોડ વારંવાર કાદવ-કીચડ વાળો બની જતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. સેલવાસ સ્માર્ટ સીટી અંતર્ગત પ્રશાસન દ્વારા સેલવાસથી દૂધની સુધી મુસાફરોના આવન-જાવન માટે ઈલેક્ટ્રીક બસ ચલાવવામાં આવી રહી છે. જે અન્વયે સેલવાથી દૂધની તરફ ગયેલ બસ પરત સેલવાસ આવી રહી હતી તે સમયે ખાનવેલ નજીક રસ્તાની સાઈડ પર ફસાઈ ગઈ હતી જેમાં સવાર મુસાફરોને બહાર કાઢવા માટે ક્રેઈનની મદદથી બસને બહાર કાઢવાની ફરજ પડી હતી. ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીના દરેક મુખ્ય રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડેલા છે જેનું રિપેરિંગ પણ કરવામાં આવ્યું નથી અને તેથી જ વારંવાર વાહનો ખોટકાઈ જવા કે વાહનોની એકબીજા સાથે ટક્કર થવી વગેરે ઘટનાઓ બની છે.