July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી પ્રાથમિક -ઉચ્‍ચ પ્રાથમિક શાળા ઝરીમાં શિક્ષક દિનની કરાયેલી ભવ્‍ય ઉજવણી

  • મગરવાડા ગ્રામ પંચાયતના સરપંચ લખીબેન પ્રેમા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવેલું તિથિ ભોજન
  • જિલ્લા પંચાયતના સહાયક શિક્ષણ નિર્દેશક કાનને ખાસ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓનો વધારેલો જુસ્‍સો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.05: દમણ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળા ઝરીમાં શિક્ષક દિન નિમિત્તે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ શિક્ષક દિન નિમિત્તે પોતાનું વક્‍તવ્‍ય રજૂ કર્યું હતું. શાળાના દરેક વિદ્યાર્થીઓને ડો. સર્વપલ્લી રાધાકૃષ્‍ણન્‌ના જીવન ચરિત્રનો વિડીયો બતાવવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી કાનને ખાસ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડનું સંચાલન અને શિક્ષણ કાર્યને નિહાળ્‍યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત પણ કર્યા હતા. ધોરણ 6ની વિદ્યાર્થીની કુ. વૃષિકા ધોડીની ભણાવવાની છટાની અને સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી કાનને પુષ્‍પગુચ્‍છ આપી વિદ્યાર્થીનીની પ્રતિભાને બિરદાવી હતી.
શાળાના હેડ માસ્‍તર શ્રીમતી સુમનબેન પટેલના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકોએ ટીમ વર્કની સાથે કામ કરીકાર્યક્રમને ખુબ જ સફળ બનાવ્‍યો હતો. જેમાં શાળાની શિક્ષિકાઓ શ્રીમતી ડિમ્‍પલબેન, નિકિતાબેન, હેતલબેન, બિનલબેન, વિભૂતિબેન વગેરેની મહત્‍વની ભૂમિકા રહી હતી. શાળાના સ્‍કૂલ મેનેજમેન્‍ટ કમીટિના અધ્‍યક્ષ શ્રીમતી શિલ્‍પાબેન હાજર રહી બાળકોના ઉત્‍સાહમાં વધારો કર્યો હતો. પ્રારંભમાં શાળાના હેડ માસ્‍તર શ્રીમતી સુમનબેન પટેલે શિક્ષક દિવસનું મહત્‍વ સમજાવ્‍યું હતું. મગરવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી લખીબેન પ્રેમાએ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓનો હોંશલો વધાર્યો હતો અને તેમના દ્વારા આજે તિથિ ભોજન કરાવવામાં આવ્‍યું હતું.
કાર્યક્રમની આભાર વિધિ શ્રીમતી ડિમ્‍પલબેને આટોપી હતી.

Related posts

દાનહ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ફૂટસલ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ નંદાવાલા હાઈવે ઉપર બ્રેઝા કાર પલટી મારી ગઈ : 6 માસની બાળકી સહિત પરિવારનો ચમત્‍કારિક બચાવ

vartmanpravah

દાનહ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા સ્‍તરીય શાળા બેન્‍ડ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજમાં મહિલા દિન અવસરે સ્ત્રી રોગ સમસ્‍યા સેમિનાર યોજાયો

vartmanpravah

પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકાના વાંગણ – બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

vartmanpravah

ન.પા. તંત્રએ સેલવાસ રીંગરોડ પાસેના ગેરકાયદેસર ભંગારના ગોદામને હટાવ્‍યું

vartmanpravah

Leave a Comment