October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ વાંસદા તાલુકાના વાંગણ – બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.08: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બારતાડ ગામ ખાતે અંદાજીત રૂ. ૧૦૭ કરોડના ખર્ચે વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ તૈયાર થનાર છે. આ જૂથ પાણી પુરવઠા પ્રોજેકટનું આજરોજ રાજયના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લઇ, જાતમાહિતી મેળવી હતી.અને સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો આપી નિયત સમયમાર્યાદમાં પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કર્યા હતાં.


પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ સંદર્ભે જણાવ્યું હતું કે, દમણ ગંગા બલ્ક પાઈપલાઈન આધારિત પીવાના પાણીની યોજના અંતર્ગત ૧૯ જૂથ યોજનામાં ૩૯૬ ગામોનો સમાવેશ થયો છે જેના થકી વલસાડ અને નવસારીના ગ્રામ્ય વિસ્તારના લોકોને પીવાનું પાણી સરળતાથી પ્રાપ્ત થશે .વાંસદા તાલુકામાં નિર્માણ પામી રહેલ વાંગણ અને બારતાડ ખાનપુર જૂથ પાણી પુરવઠા પ્રોજેકટ રૂ. ૧૦૭ કરોડના ખર્ચ નિર્માણ થશે જેનાથી વાંસદા તાલુકાના ૨૪ ગામો અને ૨૫૮ ફળિયામાં પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. અંતરિયાળ વિસ્તારના ગામના લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે સરકારે આ યોજના ૨૦૨૪ સુધીમાં કામ પૂર્ણ કરવાનો નિર્ધાર કર્યો છે .લોકોની સુખાકારીના કામો કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા તત્પર છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત અધિકારી શ્રી ડી.આઈ.પટેલ, પાણી પુરવઠા અધિકારીશ્રી પટેલ, અધિકારીઓ/પદાધિકારીઓ, સરપંચશ્રીઓ, ગામ આગેવાનો ઉપસ્થિત રહયાં હતાં.

Related posts

પૂર્ણિમા યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો: દમણની દીકરી શ્રદ્ધા મંગેરાએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો હતા

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

પ્રદૂષિત નદીઓ અંગે એન.જી.ટી.એ 2100 કરોડનો દંડ ફટકાર્યો : ગુજરાતની પ્રદૂષિત નદીઓમાં દમણગંગાનો પણ સમાવેશ

vartmanpravah

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં.માં બલિદાન દિવસ નિમિતે ડો. શ્‍યામા પ્રસાદ મુખરજીને આપવામાં આવેલી ભાવાંજલિ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ગૌ ધનની ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

Leave a Comment