June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ સીટી બસ સેવાનો હજારો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો

સીટી બસ સેવાથી ધંધો ઠપ ઠઈ ગયો છે : રિક્ષા અગ્રણીઓએ સાંસદ ધવલ પટેલની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વલસાડ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે શહેરમાં સીટી બસની સેવા કાર્યરત કરી છે. પરંતુ આ સુવિધા વલસાડના રિક્ષા ચાલકોને રાશ આવી રહી નથી. આજે શહેરમાં એક નવો મામલો ઉદ્દભવ્‍યો હતો. હજારો રિક્ષા ચાલકોએ પાલિકાની સીટી બસ સેવાનો વિરોધ કર્યો છે. રિક્ષા ચાલકો લડતનો મુડ બનાવી દીધો હતો. રિક્ષા યુનિયનના આગેવાનો સાંસદ ધવલભાઈ પટેલને મળીને તેમની મુશ્‍કેલીઓ અને ઉકેલ માટે રજૂઆત કરી હતી.
વલસાડમાં સ્‍થાનિક અને બહાર ગામની મળી રૂા.5 હજાર જેટલી રિક્ષાઓ શહેરની સડકો ઉપર દોડી રહી છે. રિક્ષા ચાલકો અને પરિવાર માટે રિક્ષાની આવક એક માત્ર આવકનોસ્ત્રોત છે. સીટી બસોને લઈને રિક્ષાના ધંધામાં નુકશાન થઈ રહ્યું છે. તેથી રિક્ષા ચાલકોએ નક્કી કર્યું હતું અને માંગ કરી છે કે સીટી બસ સેવા બંધ કરવામાં આવે અને બંધ કરવામાં નહીં આવે તો 5 હજાર રિક્ષા ચાલકો રોડ ઉપર બેસી સખ્‍ત વિરોધ કરી લડત આપશે. તેવુ રિક્ષા ચાલકોએ જણાવ્‍યું હતું.
રિક્ષા યુનિયનના આગેવાનો સાંસદ ધવલભાઈ પટેલનીસાથે આજે મુલાકાત લીધી હતી. તેમજ સીટી બસ સેવાને લઈ ધંધા ઉપર થઈ રહેલી અસર નુકશાન અંગે રજૂઆત કરી હતી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, સીટી બસ કોસંબા, તિથલ અતુલ સહીતના ગામડાઓ સુધી દોડી રહી છે. તેતી અમારો ધંધા પડી ભાંગ્‍યો છે. સાંસદે રિક્ષા આગેવાનોને સાંત્‍વના આપી ઘટતું કરવાનો દિલાસો આપ્‍યો હતો. જોવું એ રહ્યું કે, આવનારા સમયમાં આ મુદ્દો મામલો કેવો રુખ પકડે છે.

Related posts

વલવાડા સાંઈબાબા મંદિર પરિસરમાં મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા પ દિવસીય નિઃશુલ્‍ક યોગ શિબિર યોજાઈ

vartmanpravah

આજે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસઃ રાજ્ય સરકારના હૈયે વિધવા બહેનોનું હિત વસ્યું, સમાજમાં સન્માન તો આપ્યું સાથે આર્થિક સહાય પણ આપી

vartmanpravah

સેલવાસમાં રાજભાષા દ્વારા હિન્‍દી પખવાડા અંતર્ગત વિવિધ સ્‍પર્ધાઓ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ હોટલ અને બારના લાયસન્‍સ રદ્‌ કરાયા

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં ‘‘વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે  ‘બેસ્‍ટ આઉટ ઓફ વેસ્‍ટ”સ્પર્ધા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આભાર સાથે વ્‍યક્‍ત કરેલી કૃતજ્ઞતા

vartmanpravah

Leave a Comment