September 14, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ સીટી બસ સેવાનો હજારો રિક્ષા ચાલકોએ વિરોધ કર્યો

સીટી બસ સેવાથી ધંધો ઠપ ઠઈ ગયો છે : રિક્ષા અગ્રણીઓએ સાંસદ ધવલ પટેલની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વલસાડ નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે શહેરમાં સીટી બસની સેવા કાર્યરત કરી છે. પરંતુ આ સુવિધા વલસાડના રિક્ષા ચાલકોને રાશ આવી રહી નથી. આજે શહેરમાં એક નવો મામલો ઉદ્દભવ્‍યો હતો. હજારો રિક્ષા ચાલકોએ પાલિકાની સીટી બસ સેવાનો વિરોધ કર્યો છે. રિક્ષા ચાલકો લડતનો મુડ બનાવી દીધો હતો. રિક્ષા યુનિયનના આગેવાનો સાંસદ ધવલભાઈ પટેલને મળીને તેમની મુશ્‍કેલીઓ અને ઉકેલ માટે રજૂઆત કરી હતી.
વલસાડમાં સ્‍થાનિક અને બહાર ગામની મળી રૂા.5 હજાર જેટલી રિક્ષાઓ શહેરની સડકો ઉપર દોડી રહી છે. રિક્ષા ચાલકો અને પરિવાર માટે રિક્ષાની આવક એક માત્ર આવકનોસ્ત્રોત છે. સીટી બસોને લઈને રિક્ષાના ધંધામાં નુકશાન થઈ રહ્યું છે. તેથી રિક્ષા ચાલકોએ નક્કી કર્યું હતું અને માંગ કરી છે કે સીટી બસ સેવા બંધ કરવામાં આવે અને બંધ કરવામાં નહીં આવે તો 5 હજાર રિક્ષા ચાલકો રોડ ઉપર બેસી સખ્‍ત વિરોધ કરી લડત આપશે. તેવુ રિક્ષા ચાલકોએ જણાવ્‍યું હતું.
રિક્ષા યુનિયનના આગેવાનો સાંસદ ધવલભાઈ પટેલનીસાથે આજે મુલાકાત લીધી હતી. તેમજ સીટી બસ સેવાને લઈ ધંધા ઉપર થઈ રહેલી અસર નુકશાન અંગે રજૂઆત કરી હતી. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, સીટી બસ કોસંબા, તિથલ અતુલ સહીતના ગામડાઓ સુધી દોડી રહી છે. તેતી અમારો ધંધા પડી ભાંગ્‍યો છે. સાંસદે રિક્ષા આગેવાનોને સાંત્‍વના આપી ઘટતું કરવાનો દિલાસો આપ્‍યો હતો. જોવું એ રહ્યું કે, આવનારા સમયમાં આ મુદ્દો મામલો કેવો રુખ પકડે છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

દાદરા ચેક પોસ્‍ટ નજીકથી રૂા.4.17 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ ટાટા ટેમ્‍પો ઝડપાયો : ચાલકની અટક

vartmanpravah

નવસારી લોકસભા બેઠક માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ મજબૂત દાવેદાર

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજમાં ડીજીટલ માર્કેટીંગ પર સેમીનાર યોજાયો

vartmanpravah

શ્રી રામ શોભાયાત્રા સમિતિ દમણ દ્વારા મોટી દમણના મગરવાડાના દૂધીમાતા મંદિરના પટાંગણમાં વિરાટ સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આજે મુંબઈ હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદારના મુખ્‍ય અતિથિ પદે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કાનૂની જાગૃતતા અને સમાપન કાર્યક્રમનું આયોજન

vartmanpravah

Leave a Comment