September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નારગોલ ગામે આયોજીત સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારનો ફાટેલો રાફડો

1600 થી વધુ અરજી સામે આવતા રોજિંદા કાર્યમાં કચેરીએ અરજદારોનું કામ ટલ્લે ચડાવાતુ હોવાનું અનુમાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના નારગોલ ખાતે આજરોજ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતુ. અરજદારોની અરજીનો નિકાલ પારદર્શક અને સરળ વહીવટીથી સ્‍થળ ઉપર જ આવી જાય એવા ઉદ્દેશથી સંલગ્ન વિભાગોની હાજરી વચ્‍ચે આયોજિત કાર્યક્રમમાં 1600 થી વધુ અરજીઓ સામે આવી હતી. અરજદારોની અરજી સાથે પુરાવાની પૂર્ણતા તથા મોટાભાગની અરજીનો સ્‍થળ ઉપર નિકાલ કરવામાં આવ્‍યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ કાર્યક્રમમાં ઉમરગામ મામલતદાર શ્રીમતી જૈનીશ પાંડવ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી સી. આર. પઢિયારની અધ્‍યક્ષતા હેઠળ તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, આરોગ્‍ય વિભાગ, ડીજીવિજીસીએલ, સામાજીક વન વિભાગ, પશુ આરોગ્‍ય વિભાગ, બેન્‍ક સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓની હાજરી વચ્‍ચે સામે આવેલી અરજીનો નિકાલ પારદર્શક અને વહીવટી સરળ રીતે થવા પામ્‍યો છે. સામેઆવી અરજીમાં મહત્તમ પુરવઠા વિભાગ, આધારકાર્ડ, રેશનકાર્ડ વગેરેનો સમાવેશ થતો હતો.
આજના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, જિલ્લા પંચાયતનો સભ્‍ય શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી દિપકભાઈ મિષાી, તેમજ ગ્રામ પંચાયતના સરપંચોની ઉપસ્‍થિત વચ્‍ચે કરવામાં આવ્‍યો હતો.

Related posts

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

vartmanpravah

દાદરા ચેકપોસ્‍ટથી પોલીસ ચોકી સુધી મુખ્‍ય રસ્‍તાઓ પર વાહનોના આડેધડ પાર્કિંગથી હાલાકી

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

તુંબની કંપની સામે સેન્‍ટ્રલ ગ્રાઉન્‍ડ વોટર બોર્ડમાં પાણી ચોરીની ફરિયાદ

vartmanpravah

તલાટીની પરીક્ષા આપવા આવેલ 15 વિદ્યાર્થી અટવાયા: વલસાડ સેન્‍ટ જોસેફ સ્‍કૂલમાં 5 મિનિટ મોડા પડતા રઝળી પડયા

vartmanpravah

સેલવાસના ડેપ્‍યુટી કલેક્‍ટર ચાર્મી પારેખે દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મનાવેલો શિક્ષક દિવસ

vartmanpravah

Leave a Comment