March 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવ માં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવીઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: આજ રોજ તા.10-09-2022 ને શનિવારના રોજ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા-દીવમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંહના માર્ગદર્શન હેઠળ ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત ‘‘મનુષ્‍ય તૂ બડા મહાન હૈ” ની પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્‍યાર પછી શાળાના વરિષ્ઠ નેશનલ એવોર્ડ વિજેતા હિન્‍દી શિક્ષિકા પ્રતિભાબહેન જી. સ્‍માર્ટ એ 10 મી સપ્‍ટેમ્‍બરના રોજ વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તેમજ તેની મુખ્‍ય ઉદ્દેશ્‍ય શો છે? તેના વિશે અનેક ઉદાહરણો, પ્રસંગ કથા, વાર્તા દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ત્‍યારબાદ ‘‘યે મત કહો ખુદા સે મેરી મુશ્‍કિલ બડી હૈ, યે મુશ્‍કિલ સે કહેદો મેરા ખુદા બડા હૈ” ગીત સંભળાવી સૌને મંત્ર મુગ્‍ધ કર્યા.
એ પછી અંતમાં શાળાના પ્રભારીશ્રી, શિક્ષક ભાઈઓ-બહેનો તેમજ વિદ્યાર્થીગણ સૌએ સાથે મળી ને ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ”ની ઉજવણી નિમિત્તે શપથ ગ્રહણ કર્યા. સંપૂર્ણ કાર્યક્રમનું મંચ સંચાલન નેશનલ એવોર્ડ વિજેતા પ્રતિભાબહેન જી. સ્‍માર્ટ દ્વારા કરવામાં આવ્‍યું. શાળાના સૌ સ્‍ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Related posts

વાપીની શ્રી એલ.જી. હરીઆ સ્‍કુલની વધુ એક સિધ્‍ધિ

vartmanpravah

ધરમપુરના મુક સેવક જયંતિભાઈ પટેલના હસ્‍તે એમ્‍બ્‍યુલન્‍સનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

આટિયાવાડ કુલોદય ઈન્‍ડસ્‍ટ્રીઝના રસ્‍તાના સમારકામ માટે પીડબ્‍લ્‍યુડીના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરતા મંડળ ભાજપ પ્રમુખ તિમિર પટેલ

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા કૂતરાઓની નિયમિત થતી નશબંધી છતાં સતત વધતી વસ્‍તી : નશબંધીના નામે તો નથી લખાતું ને નામું?

vartmanpravah

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah

વલસાડ હાઈવે ગુંદલાવ ચોકડી પાસેથી 16.83 લાખનો બિલ વગરનો પાન-મસાલા, તમાકુ ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

Leave a Comment