October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવ માં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવીઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.11: આજ રોજ તા.10-09-2022 ને શનિવારના રોજ સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા-દીવમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંહના માર્ગદર્શન હેઠળ ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત ‘‘મનુષ્‍ય તૂ બડા મહાન હૈ” ની પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્‍યાર પછી શાળાના વરિષ્ઠ નેશનલ એવોર્ડ વિજેતા હિન્‍દી શિક્ષિકા પ્રતિભાબહેન જી. સ્‍માર્ટ એ 10 મી સપ્‍ટેમ્‍બરના રોજ વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તેમજ તેની મુખ્‍ય ઉદ્દેશ્‍ય શો છે? તેના વિશે અનેક ઉદાહરણો, પ્રસંગ કથા, વાર્તા દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ત્‍યારબાદ ‘‘યે મત કહો ખુદા સે મેરી મુશ્‍કિલ બડી હૈ, યે મુશ્‍કિલ સે કહેદો મેરા ખુદા બડા હૈ” ગીત સંભળાવી સૌને મંત્ર મુગ્‍ધ કર્યા.
એ પછી અંતમાં શાળાના પ્રભારીશ્રી, શિક્ષક ભાઈઓ-બહેનો તેમજ વિદ્યાર્થીગણ સૌએ સાથે મળી ને ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ”ની ઉજવણી નિમિત્તે શપથ ગ્રહણ કર્યા. સંપૂર્ણ કાર્યક્રમનું મંચ સંચાલન નેશનલ એવોર્ડ વિજેતા પ્રતિભાબહેન જી. સ્‍માર્ટ દ્વારા કરવામાં આવ્‍યું. શાળાના સૌ સ્‍ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

Related posts

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૧૪.૮૪ ઇંચ સાથે મોસમનો ૮૪.૬૫ ઇંચ વરસાદ

vartmanpravah

ચીખલીના તલાવચોરા ગામે રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

મગરવાડા પંચાયત સભાગૃહ ખાતે સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા વરિષ્ઠ નાગરિકો અને દિવ્‍યાંગજનો માટે સહાયક સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશમાં શિક્ષણ આરોગ્‍ય પ્રવાસનથી લઈ વિવિધ ક્ષેત્રે થયેલા બેનમૂન વિકાસથી દિગ્‍મૂઢ બનેલા ભાજપના ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય કોષાધ્‍યક્ષ

vartmanpravah

શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની છઠ્ઠી વાર્ષિક સામાન્‍ય સભા સંપન્ન મહાસંઘના પ્રમુખ વિશાલભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં શ્રી માછી સમાજ હોલ, રાધે શ્‍યામ મંદિર, નારગોલ બંદરે મળેલી સભા

vartmanpravah

પ્રતિમા બનતા મહિના લાગે મંદિર બનતા વર્ષો લાગે પણ ભક્‍ત બનતા જિંદગી’ય ઓછી પડે : આચાર્ય યશોવર્મસુરીજી

vartmanpravah

Leave a Comment