(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.11: આજ રોજ તા.10-09-2022 ને શનિવારના રોજ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, બુચરવાડા-દીવમાં દીવ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આર. કે. સિંહના માર્ગદર્શન હેઠળ ‘‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત ‘‘મનુષ્ય તૂ બડા મહાન હૈ” ની પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્યાર પછી શાળાના વરિષ્ઠ નેશનલ એવોર્ડ વિજેતા હિન્દી શિક્ષિકા પ્રતિભાબહેન જી. સ્માર્ટ એ 10 મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ શા માટે ઉજવવામાં આવે છે? તેમજ તેની મુખ્ય ઉદ્દેશ્ય શો છે? તેના વિશે અનેક ઉદાહરણો, પ્રસંગ કથા, વાર્તા દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ત્યારબાદ ‘‘યે મત કહો ખુદા સે મેરી મુશ્કિલ બડી હૈ, યે મુશ્કિલ સે કહેદો મેરા ખુદા બડા હૈ” ગીત સંભળાવી સૌને મંત્ર મુગ્ધ કર્યા.
એ પછી અંતમાં શાળાના પ્રભારીશ્રી, શિક્ષક ભાઈઓ-બહેનો તેમજ વિદ્યાર્થીગણ સૌએ સાથે મળી ને ‘‘વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ”ની ઉજવણી નિમિત્તે શપથ ગ્રહણ કર્યા. સંપૂર્ણ કાર્યક્રમનું મંચ સંચાલન નેશનલ એવોર્ડ વિજેતા પ્રતિભાબહેન જી. સ્માર્ટ દ્વારા કરવામાં આવ્યું. શાળાના સૌ સ્ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.
Previous post