July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

બલીઠા રેલવે ફાટક 16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: રેલવે લાઈન અને પુલની કામગીરી અંતર્ગત બલીઠા રેલવે ફાટક આગામી તા.16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેશે. રેલવેના આ નિર્ણયથી વાપીથી દમણ તરફ જતા વાહનો અને સ્‍થાનિક વાહનોની અવર જવર બંધ થતા લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડશે.
ઉમરગામથી ડુંગરી વચ્‍ચે અનેક રેલવે પુલોની કામગીરી ચાલી રહી છે. તેમજ અન્‍ય રેલ મેઈન્‍ટેનન્‍સ માટે વારંવાર એક યા બીજા ફાટકો રેલવે બંધ કરી રહી છે તે અંતર્ગત બલીઠાનું પાટક તા.10 થી તા.16 સપ્‍ટેમ્‍બર સુધી બંધ રહેનાર છે. તેથી સ્‍થાનિકો સહિત કોમર્શિયલ વાહન ચાલકોને દમણ તથા વાપી વચ્‍ચેથી અવર જવર અટકી પડશે તેમજ વાપી પુલ કે મોરાઈ ફાટકે વધુ ટ્રાફિકથવાની શક્‍યતા તોળાઈ રહી છે.

Related posts

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી જોડે સમસ્‍ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ નંદલાલ કાળાભાઈ પાંડવે કરેલી શુભેચ્‍છા મુલાકાતઃ ભાજપના ભવ્‍ય વિજયનો આપેલો ભરોસો

vartmanpravah

વલસાડ જિલ્લામાં બોગસ તબીબો સામે તવાઈઃ વધુ એક ઝડપાયો, 3 બોગસ ડોક્‍ટરો દવાખાનું બંધ કરી પલાયન

vartmanpravah

રાજસ્‍થાન ઝાલોરની ઘટના અંગે આંબેડકર ચળવળના દરેક સંગઠન મળી દાનહ કલેક્‍ટરને આવેદનપત્ર આપવામાં આવ્‍યું

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલની વિદ્યાર્થીનીએ ‘પોસ્‍ટર નિર્માણ’ સ્‍પર્ધામાં પ્રથમ સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વાવાઝોડાં અને પૂરની આપત્તિને પહોંચી વળવા માટે કરાયેલી ટેબલ ટોપ કવાયત

vartmanpravah

‘‘દુષ્‍કર્મના હત્‍યારાને ફાંસીથી ઓછી સજા નહીં”ની માંગ સાથે પારડી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૌન રેલી અને કેન્‍ડલ માર્ચ યોજાઈ

vartmanpravah

Leave a Comment