(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: રેલવે લાઈન અને પુલની કામગીરી અંતર્ગત બલીઠા રેલવે ફાટક આગામી તા.16 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. રેલવેના આ નિર્ણયથી વાપીથી દમણ તરફ જતા વાહનો અને સ્થાનિક વાહનોની અવર જવર બંધ થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ઉમરગામથી ડુંગરી વચ્ચે અનેક રેલવે પુલોની કામગીરી ચાલી રહી છે. તેમજ અન્ય રેલ મેઈન્ટેનન્સ માટે વારંવાર એક યા બીજા ફાટકો રેલવે બંધ કરી રહી છે તે અંતર્ગત બલીઠાનું પાટક તા.10 થી તા.16 સપ્ટેમ્બર સુધી બંધ રહેનાર છે. તેથી સ્થાનિકો સહિત કોમર્શિયલ વાહન ચાલકોને દમણ તથા વાપી વચ્ચેથી અવર જવર અટકી પડશે તેમજ વાપી પુલ કે મોરાઈ ફાટકે વધુ ટ્રાફિકથવાની શક્યતા તોળાઈ રહી છે.